Sunday, March 8, 2026
Homenationalરામ મંદિર મામલે નિર્ણય લેવામાં કોર્ટ મોડું કરશે તો સંસદમાં બિલ આવશે:...

રામ મંદિર મામલે નિર્ણય લેવામાં કોર્ટ મોડું કરશે તો સંસદમાં બિલ આવશે: બાબા રામદેવ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રામ મંદિર વિશે બાબા રામદેવે કહ્યું છે કે, જો કોર્ટમાં નિર્ણય થતાં વાર લાગશે તો સંસદમાં ચોક્કસથી આ વિશે બિલ આવશે અને લાવવું પણ જોઈએ. બાબા રામદેવે કહ્યું છે કે, રામ જન્મભૂમિ પર રામ મંદિર નહીં બને તો કોનું બનશે? બાબા રામદેવે કહ્યું કે, સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે કે, હવે રામ મંદિરમાં વધારે વાર નહીં લાગે. મને આશા છે કે, આ વર્ષે દેશને આ શુભ સમાચાર ચોક્કસથી મળશે. બીજીબાજુ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીએ દાવો કર્યો છે કે, રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરમાં શરૂ થઈ જશે. તેમનું કહેવું છે કે, કોઈ અધ્યાદેશના આંતરિક સમહતીના આધાર પર મંદિરનું નિર્માણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર બનશે અને લખનઉમાં મસ્જિદ બનશે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણી ટાળી દીધી છે. ત્યારપછી આરએસએસએ સરકારપાસે માંગણી કરી છે કે, તેઓ સંસદમાં કાયદો બનાવીને જમીનનું અધિગ્રહણ કરે અને મંદિર બનાવવાનો રસ્તો સાફ કરે. બીજી બાજુ શુક્રવારે આરએસએસની શીબિરમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, મોહન ભાગવતને મળવા પહોંચ્યા હતા. ત્યારપછી સંઘ તરફથી ભૈયા જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો જરૂર પડશે તો રામ મંદિર માટે 1992 જેવું આંદોલન કરીશું.

બીજી બાજુ રાજ્યસભા સાસંદ રાકેશ સિન્હાએ રામ મંદિર માટે સંસદના શિયાળુ સત્રમાં પ્રાઈવેટ બિલ લાવવાની પણ જાહેરાત કરી છે. હાલ એવું લાગે છે કે, ચૂંટણી વર્ષમાં રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here