Friday, June 5, 2026
HomeGujaratAhmedabadડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

ડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ, તા.૬
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા, ગામડી અને છત્રાલ ગામોમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે. છત્રાલ ગામના ૩૦ ઘરોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, જેથી અહીંના લોકો ભયંકર અને ત્રાહિમામભરી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ લોકો પાસે ખાવા માટે અનાજ નથી. જેથી આ લોકો ભૂખ અને તરસ્યા જીવન વ્યતિત કરી રહ્યા છે. જા કે, કરૂણતા અને વરવી વાસ્તવિકતા એ છે કે, પાણીમાં ત્રણ દિવસથી ફસાયેલા આ લોકો સુધી હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકના છત્રાલ ગામની નવીનગરી અને વસાહત વિસ્તારમાં ત્રણ દિવસથી કમર સુધી પાણી ભરાયેલા છે. અહીંના લોકોને જળચર પ્રાણીઓનો ડર સતત સતાવી રહ્યો છે. અહીંના લોકોને તંત્ર દ્વારા કોઇપણ જાતનું એલર્ટ આપવામાં આવ્યુ ન હતું. જેથી હવે કમર સુધી પાણી ભરાઇ જતાં લોકોને જાતે જ સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. અહીં લોકો ત્રણ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર અહીં ફરક્યું પણ નથી. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-બિમાર લોકોની હાલત સૌથી કફોડી બની છે. તંત્રના આવા અમાનવીય અભિગમને લઇ સ્થાનિક લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે લોકો ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા છીએ. અમારી પાસે પીવા માટે પાણી પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી અમે કમરસુધીના પાણીમાં ફસાયેલા પડયા છીએ પરંતુ હજુ સુધી તંત્રના માણસો કે અધિકારીઓ અહીં ફરકયાં સુધ્ધાં નથી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here