Wednesday, March 18, 2026
HomeAhmedabadઅમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

અમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

Date:

spot_img

Related stories

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું...

અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન...

દિલ્હીમાં એક ઇમારતમાં ભીષણ આગથી અફરાતફરી : ત્રણ છોકરીઓ...

દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે 7 વાગ્યે એક ઇમારતમાં...

અમદાવાદ–પાલનપુર, સામાખ્યાલી અને ગાંધીધામ રેલ માર્ગો પર ‘કવચ’ ઇન્સ્ટોલેશન...

‘કવચ 4.0’ એક સ્વદેશી રીતે વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા...

ચૈત્રી નવરાત્રી એટલે અજ્ઞાનનાં અંધકાર માંથી ચમકતા પ્રકાશ તરફ...

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સમગ્ર...

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...
spot_img

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે અધિકારીઓની ટીમ સાથે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રી-ડેવલપમેન્ટ (પુનર્વિકાસ) કાર્યોનું નિરીક્ષણ કર્યું.

નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને કામ સમયબદ્ધ રીતે તથા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચનાઓ આપી.

આ દરમિયાન સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો હેઠળ ગર્ડર અને ટ્રેસ લોન્ચિંગની આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. આયોજન દરમિયાન ટ્રેન મૂવમેન્ટ અને બ્લોક સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે નિર્માણ વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી ડી. આર. ચૌધરી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ કોન્કોર્સ વિસ્તારમાં વિશાળ વેઇટિંગ હોલ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ અને ઉત્તમ ભોજન સુવિધા મળશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110 × 36 વર્ગમીટર હશે. હાઇ-રૂફનું કદ 122 × 171 મીટર અને 88 × 110 મીટર રહેશે, જેના દ્વારા કુલ અંદાજે 30,542 વર્ગમીટર વિસ્તાર ટ્રેક ઉપર આવરી લેવામાં આવશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે.
સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત મુસાફરોની સુવિધા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર અને 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોની અવરજવર સરળ બનશે.

ડીઆરએમએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક મુસાફર સુવિધાઓ, સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ વિસ્તાર અને અન્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી મુસાફરોને ટૂંક સમયમાં વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે.

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું...

અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન...

દિલ્હીમાં એક ઇમારતમાં ભીષણ આગથી અફરાતફરી : ત્રણ છોકરીઓ...

દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે 7 વાગ્યે એક ઇમારતમાં...

અમદાવાદ–પાલનપુર, સામાખ્યાલી અને ગાંધીધામ રેલ માર્ગો પર ‘કવચ’ ઇન્સ્ટોલેશન...

‘કવચ 4.0’ એક સ્વદેશી રીતે વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા...

ચૈત્રી નવરાત્રી એટલે અજ્ઞાનનાં અંધકાર માંથી ચમકતા પ્રકાશ તરફ...

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સમગ્ર...

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here