Friday, June 26, 2026
HomeNew Delhiદિલ્હીમાં એક ઇમારતમાં ભીષણ આગથી અફરાતફરી : ત્રણ છોકરીઓ સહિત એક જ...

દિલ્હીમાં એક ઇમારતમાં ભીષણ આગથી અફરાતફરી : ત્રણ છોકરીઓ સહિત એક જ પરિવારના 9 સભ્યો જીવતા ભૂંજાયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે 7 વાગ્યે એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જેમાં 3 છોકરીઓનો સમાવેશ થાય છે. 2 લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી. તેમને ગંભીર ઇજાઓ થઈ છે.

જોકે, ઘાયલો અને અંદર ફસાયેલા લોકોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ 10 લોકોને બચાવ્યા છે. લગભગ 30 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવી લીધો છે.

હાલમાં આગ લાગવાના કારણો જાણી શકાયા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઈમારતમાં તે સમયે 10-15 લોકો હાજર હતા. તેમાંથી કેટલાક મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. સંબંધિત એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે.બિલ્ડિંગના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો ઉપયોગ કપડાં અને કોસ્મેટિક સામાનના સ્ટોરેજ માટે કરવામાં આવી રહ્યો હતો. સેકન્ડ અને થર્ડ ફ્લોર પર લોકો રહેતા હતા. છત પર એક શેડ પણ બનેલો હતો. આગની જ્વાળાઓ ત્યાં સુધી પહોંચી ગઈ હતી.

આ ઘટનામાં માર્યા ગયેલા 8 લોકોના મૃતદેહ મણિપાલ હોસ્પિટલ અને એક મહિલાનો મૃતદેહ IGI હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોમાં બે લોકોની સારવાર IGI હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે એક વ્યક્તિને 25% દાઝી જવાથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું- નીચે જ્વાળાઓ અને ઉપર ગાઢ ધુમાડો હતો

દિલ્હી ફાયર સર્વિસના અધિકારી એસ. કે. દુઆએ જણાવ્યું કે આગ સવારે લગભગ 7 વાગ્યે લાગી હતી. જ્યારે અમારી પ્રથમ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે નીચે આગની જ્વાળાઓ અને ઉપર ગાઢ ધુમાડો હતો. અમારા પહોંચતા પહેલા બે લોકો ઇમારત પરથી કૂદી પડ્યા હતા, જેમને લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે. આગ પર હવે સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જોકે કૂલિંગ ઓપરેશન ચાલુ છે. આ પછી બિલ્ડિંગમાં ફરી એકવાર સર્ચ અને રેસ્ક્યુ કરવામાં આવશે.

NDRF ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર વિકી રાંગાએ જણાવ્યું કે તેઓ 10 મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સુધી દિલ્હી ફાયર સર્વિસ અને અન્ય એજન્સીઓ આગ બુઝાવવામાં લાગી હતી. બિલ્ડિંગ અંદરથી ઘણી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, આવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન કરવું એક મોટો પડકાર છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને પણ ખાલી કરાવી લેવામાં આવી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here