Sunday, June 28, 2026
HomeAhmedabadઅમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

અમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે અધિકારીઓની ટીમ સાથે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા રી-ડેવલપમેન્ટ (પુનર્વિકાસ) કાર્યોનું નિરીક્ષણ કર્યું.

નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને કામ સમયબદ્ધ રીતે તથા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચનાઓ આપી.

આ દરમિયાન સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો હેઠળ ગર્ડર અને ટ્રેસ લોન્ચિંગની આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. આયોજન દરમિયાન ટ્રેન મૂવમેન્ટ અને બ્લોક સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે નિર્માણ વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી ડી. આર. ચૌધરી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ કોન્કોર્સ વિસ્તારમાં વિશાળ વેઇટિંગ હોલ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ અને ઉત્તમ ભોજન સુવિધા મળશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110 × 36 વર્ગમીટર હશે. હાઇ-રૂફનું કદ 122 × 171 મીટર અને 88 × 110 મીટર રહેશે, જેના દ્વારા કુલ અંદાજે 30,542 વર્ગમીટર વિસ્તાર ટ્રેક ઉપર આવરી લેવામાં આવશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે.
સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત મુસાફરોની સુવિધા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર અને 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોની અવરજવર સરળ બનશે.

ડીઆરએમએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક મુસાફર સુવિધાઓ, સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ વિસ્તાર અને અન્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી મુસાફરોને ટૂંક સમયમાં વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here