Saturday, September 5, 2026
HomeIndiaઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળી હતી, જેણે ત્રણ માળના મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ દુર્ઘટનામાં રબરના વેપારી મનોજ પુગાલિયા અને તેમની સગર્ભા પુત્રવધૂ સિમરન સહિત કુલ 8 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ છે.

મૃતકોમાં 6 લોકો મનોજના સંબંધીઓ હતા, જેઓ મંગળવારે જ બિહારના કિશનગંજથી આવ્યા હતા. આ ઘટના બુધવારે વહેલી સવારે 3.30 થી 4 વાગ્યાની વચ્ચે બંગાળી ચોક પાસે આવેલી ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ, કારથી ઘર સુધી ફેલાયેલી આગે અંદર રાખેલા ગેસ સિલિન્ડરોને પોતાની ઝપેટમાં લીધા હતા. એક પછી એક સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના ધડાકાથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મકાનનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ઘરમાં લાગેલા ડિજિટલ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી શકી નહોતી.

આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાની જાણ કર્યાના લગભગ એક કલાક પછી સ્થળ પર પહોંચી હતી.ઇન્દોરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, ઘરની બહાર એક ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ કરવામાં આવી રહી હતી અને તેનો ચાર્જિંગ પોઇન્ટ ફાટી ગયો. ત્યારબાદ આગ ગાડીમાંથી ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની અંદર 10થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ફાટી ગયા. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘર મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હતા. ઘરમાં કેટલાક એવા કેમિકલ પણ રાખવામાં આવ્યા હતા જે જ્વલનશીલ હતાં.’

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here