Sunday, April 20, 2025
HomeGujaratઅતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ...

અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત : સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.સુરતના વેસુ રોડ પર જે.એચ અંબાણી સ્કૂલ પાસે અતુલ બેકરીના સંચાલક અતુલ વેંકરિયાએ અકસ્માતોની વણઝાર સર્જી હતી. તેમની પૂરઝડપે ભાગેલી કારે 3 મોપેડને અડફેટે લીધી હતી. રોડ બાજુમાં બાઇક પાર્ક કરી ફ્રેંક નો ઓર્ડર આપી ફ્રેંકીની રાહ જોતા બાઇક ચાલકો પર કાર ફરી વળી હતી. જેના બાદ અતુલ વેંકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અતુલ વેંકરિયાના જામીન પોલીસ સ્ટેશનમાંથી મંજૂર પણ થયા હતા. પોલીસે IPC 304 (અ) જેવા સામાન્ય ગુના દાખલ કરતા તાત્કાલિક જામીન મળી ગયા હતા. જોકે, વેંકરિયાનું દારૂ પીધેલાનું મેડિકલ 9 કલાક પછી કરાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.  અતુલ વેંકરિયાની કારની અડફેટે બારડોલીના વધાવા ગામની ઉર્વશી ચૌધરીનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરીના મોતથી પરિવાર દુખી થયું છે. તેથી જ અતુલ વેંકરિયાને કડક સજા થાય તેવી માંગણી ઉઠી હતી. જોકે, આ વચ્ચે મૃત્યુ પામનાર ઉર્વશીની માતાએ કહ્યું કે,  ‘આ મામલે પોલીસ આરોપીને લઈ ગઈ છતાં એ એવું કહે છે કે હું નહોતો ચલાવતો મારો ડ્રાઇવર ચલાવતો હતો. એણે ખૂન કર્યુ છે એટલે કોઈ પૂછવા નથી આવ્યું, કેમ હું ગરીબ છું એટલે? બહું બહું તો એ મને પૈસા આપશે. મારી દીકરીને પાનેતર ઓઢાડવાનો દિવસ હતો. એને છોકરો જોવા આવવાનો હતો સંબંધ નક્કી કરવાનો હતો. આજે મેં એને અગ્નિ દાહ આપ્યો છે. અમને ફોન આવે છે કે તમે કેસ શું કામ લાંબો કરો છો, એ રૂપિયા વાળો માણસ છે. હું તો એવું કહું છું કે જો અહીંયા સજા નહીં મળે તો ઉપર સજા મળશે.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here