Saturday, July 18, 2026
HomeGujaratઅતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ...

અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

સુરત : સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.સુરતના વેસુ રોડ પર જે.એચ અંબાણી સ્કૂલ પાસે અતુલ બેકરીના સંચાલક અતુલ વેંકરિયાએ અકસ્માતોની વણઝાર સર્જી હતી. તેમની પૂરઝડપે ભાગેલી કારે 3 મોપેડને અડફેટે લીધી હતી. રોડ બાજુમાં બાઇક પાર્ક કરી ફ્રેંક નો ઓર્ડર આપી ફ્રેંકીની રાહ જોતા બાઇક ચાલકો પર કાર ફરી વળી હતી. જેના બાદ અતુલ વેંકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અતુલ વેંકરિયાના જામીન પોલીસ સ્ટેશનમાંથી મંજૂર પણ થયા હતા. પોલીસે IPC 304 (અ) જેવા સામાન્ય ગુના દાખલ કરતા તાત્કાલિક જામીન મળી ગયા હતા. જોકે, વેંકરિયાનું દારૂ પીધેલાનું મેડિકલ 9 કલાક પછી કરાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.  અતુલ વેંકરિયાની કારની અડફેટે બારડોલીના વધાવા ગામની ઉર્વશી ચૌધરીનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરીના મોતથી પરિવાર દુખી થયું છે. તેથી જ અતુલ વેંકરિયાને કડક સજા થાય તેવી માંગણી ઉઠી હતી. જોકે, આ વચ્ચે મૃત્યુ પામનાર ઉર્વશીની માતાએ કહ્યું કે,  ‘આ મામલે પોલીસ આરોપીને લઈ ગઈ છતાં એ એવું કહે છે કે હું નહોતો ચલાવતો મારો ડ્રાઇવર ચલાવતો હતો. એણે ખૂન કર્યુ છે એટલે કોઈ પૂછવા નથી આવ્યું, કેમ હું ગરીબ છું એટલે? બહું બહું તો એ મને પૈસા આપશે. મારી દીકરીને પાનેતર ઓઢાડવાનો દિવસ હતો. એને છોકરો જોવા આવવાનો હતો સંબંધ નક્કી કરવાનો હતો. આજે મેં એને અગ્નિ દાહ આપ્યો છે. અમને ફોન આવે છે કે તમે કેસ શું કામ લાંબો કરો છો, એ રૂપિયા વાળો માણસ છે. હું તો એવું કહું છું કે જો અહીંયા સજા નહીં મળે તો ઉપર સજા મળશે.’

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here