
શિહોર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. શિહોર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પંકજભાઈ પટેલ, ઘનશ્યામભાઈ બારોટ, મનિષાબેન તીર્થરાજ અને જાહન્વીબેન લુણાગરીયાએ પોતાના પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે ત્યારે ભાજપ પાર્ટીના અગ્રણિય નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારના એમ.પી. હસમુખભાઇ પટેલએ કહ્યું હતું કે, ઇન્ડિયા કોલોની વોર્ડના ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. કર્ણાવતી શહેરના મહામંત્રી ગૌતમભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ખુબ દિલથી વોટીંગ કરીને ચારે ઉમેદવારોને ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય બનાવીએ એવી આશા છે અને સૌ લોકો સાથે મળીને આપણા ઉમેદવારોને પ્રોમિસ આપીએ કે તેઓ ચિંતા ના કરો ઉમેદવાર તમે નથી ઉમેદવાર અમે બધા જ છીએ આ છે આપણા ભાજપની તાકાત જીતશે ગુજરાત ફરી એકવાર કમળ ખીલશે અને આપણા જ્યારે ઉમેદવારને જણાવીએ છીએ કોઈ ચિંતા ના કરતા, માં અંબે ખૂબ મોટી લીડ થી જીતાવશે જય જય ગરવી ગુજરાત.
