Sunday, February 23, 2025
Homenationalદિલ્હી-શ્રીનગર ત્રીજો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ, થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યા વધુ

દિલ્હી-શ્રીનગર ત્રીજો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ, થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યા વધુ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

કોરોનાને કારણે બે વર્ષ સુધી ઘરોમાં કેદ રહ્યા બાદ, લોકો આ ઉનાળામાં મોટાપાયે પ્રવાસ પર નીકળી રહ્યા છે. દેશના મુખ્ય પ્રવાસન સ્થળો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ ભારતીયોની ભીડ જોવા મળી છે. પ્રવાસીઓના કારણે, દિલ્હી-શ્રીનગર હવાઈ માર્ગ એપ્રિલમાં દેશનો ત્રીજો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ બન્યો છે. જે સામાન્ય રીતે ટોપ-10માં પણ નથી. સાથે જ થાઈલેન્ડની મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ પાસેથી મળેલી માહિતી અનુસાર એપ્રિલમાં દિલ્હી અને શ્રીનગર વચ્ચે 2.74 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-બેંગલુરુ સિવાયના કોઈપણ અન્ય રૂટ કરતાં વધુ છે. એટલું જ નહીં, બે વધુ પ્રવાસન સ્થળો દિલ્હી-ગોવા અને મુંબઈ-ગોવા પણ ટોપ-10 હવાઈ માર્ગોમાં સામેલ થઈ ગયા છે. દિલ્હી-શ્રીનગર અને દિલ્હી-ગોવા રૂટ્સે બેંગ્લોર-હૈદરાબાદ અને દિલ્હી-અમદાવાદ રૂટને ટોપ-10માંથી બહાર કર્યા છે.દેશના સૌથી મોટા ટ્રાવેલ પોર્ટલ મેકમાયટ્રિપના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, દિલ્હીથી શ્રીનગરનું સર્ચિંગ મુંબઈ-બેંગ્લુરૂ જેવા બિઝનેસ ટ્રાફિક ધરાવતા રૂટ કરતાં પણ વધ્યા છે. દેશના ટોચના શહેરોમાંથી શ્રીનગરની ફ્લાઈટ સર્ચિંગ ઉપરાંત શ્રીનગરમાં હોટલ, હોમ સ્ટેના બુકિંગમાં પણ વધારો જોવા મળ્યો છે.શ્રીનગરમાં હોમ સ્ટે બુકિંગ પ્રિ-કોવિડ કરતાં ચાર ગણા વધ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકારના ડેટા અનુસાર, 2022ના પ્રથમ ચાર મહિનામાં કાશ્મીર ખીણમાં રેકોર્ડ 6.05 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે ગયા વર્ષના સમાનગાળા દરમિયાન 1.30 લાખના આંકડા કરતાં પાંચ ગણા વધુ છે.આ વર્ષે 1 જાન્યુઆરીથી 26 જૂન સુધીમાં લગભગ 20 લાખ પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહ્યા હતા. થાઈલેન્ડના સત્તાવાર પ્રવક્તા ટ્રાઈસુરી ટાઈસરંકુલે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા 2 લાખ 21 હજારથી વધુ હતી. દક્ષિણપૂર્વ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા થાઈલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ કોવિડ દરમિયાન લગભગ સ્થગિત થઈ ગયો હતો, પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહ્યો છે અને ભારતીય પ્રવાસીઓનું મોટું યોગદાન છે. ભારતના વધતા જતા મધ્યમ વર્ગ માટે થાઈલેન્ડ સસ્તું વિદેશી પ્રવાસન સ્થળ રહ્યું છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here