Saturday, September 5, 2026
HomeEntertainmentગંગા માઈ કી બેટિયાઁના કલાકાર અમનદીપ સિધુ અને શૈઝાન ખાન #Snedhuની આકર્ષક...

ગંગા માઈ કી બેટિયાઁના કલાકાર અમનદીપ સિધુ અને શૈઝાન ખાન #Snedhuની આકર્ષક કેમિસ્ટ્રી પાછળનું રહસ્ય જણાવે છે

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

ગંગા માઈ કી બેટિયાઁ, ઝી ટીવીના તાજેતરમાં રજૂ થયેલા શોમાંનો એક પ્રસિદ્ધ શોએ, ઝડપથી દર્શકોના દિલ જિત્યા છે અને ટીઆરપી ચાર્ટમાં ટોપ 10માં પહોંચ્યો છે. આ શો ફક્ત તેની રજૂઆતને લીધે જ નહીં પરંતુ મુખ્ય પાત્રો સ્નેહા અને સિદ્ધુની વચ્ચેની આકર્ષક કેમિસ્ટ્રીને લીધે પણ પ્રખ્યાત થયો છે, આ પાત્રો કરી રહ્યા છે, અનુક્રમે અમનદીપ સિધુ અને શૈઝાન ખાન. દર્શકો ઓન-સ્ક્રીન તેમની કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે, ત્યારે, ઓફ-સ્ક્રીન #Snedhuની રીલ પણ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહી છે. કલાકારો હવે સ્નેહા અને સિદ્ધુની કેમિસ્ટ્રી પાછળના વાસ્તવિક જાદુને અને ઓફ કેમેરા તેમની મિત્રતા વિશે જણાવે છે. અમનદીપ સાથે તેની મિત્રતા વિશે શૈઝાન ખાન કહે છે, “એક બહોત પ્યારી દોસ્તી હૈં! ભલે મુહ પે એક દૂસરે કી તારીફ હમ કભી ના કરે યા બચ્ચોં કી તરહ લડતે રહેં! પણ અમે એકબીજાને એટલો જ આદર આપીએ છીએ! એક બાબત મને જે ગમે છે તે એ છે કે, અમારી વચ્ચે ક્યારેય કોઈ અહંકાર નથી. અમે એકબીજાથી એકદમ વિરોધાભાષી વ્યક્તિત્વ ધરાવીએ છીએ, તેમ છતા પણ આ શો અમને ખૂબ જ ગમે છે. તો, અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ. દરેક વખત અમે શ્રેષ્ઠ શોટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે હંમેશા અમારી કેમિસ્ટ્રી સારી દેખાય. હું ખરેખર લેડી લકમાં માનું છું. મને લાગે છે કે, તે ખરેખર મારા માટે શુકનવંતી છે. તેથઈ જ શો સારો ચાલી રહ્યો છે અને પાત્રો પણ બધાને ગમી રહ્યા છે.” અમનદીપ સિધુ એવી જ લાગણી રજૂ કરતા કહે છે, “ગંગા માઈ કી બેટિયાઁમાં શૈઝાનની શાથે કામ કરવાનો અનુભવ કહું તો, તે સૌથી સરળ રહ્યો છે અને હું એટલું જ કહીશ કે, અમે સેટ પર એકબીજાના જરા પણ વખાણ નથી કરતા! (હસે છે અને કહે છે કે, અમે બધા જ વખાણ આવા ઇન્ટરવ્યૂ માટે જ બચાવીએ છીએ.) પણ અમે એકબીજાની સાથે સરળતાથી અને આદરથી કામ કરીએ છીએ. કોઈ અહંકાર નહીં, કોઈ હરિફાઈ નહીં, કોઈ સ્પર્ધા નહીં, ફક્ત બે કલાકારો એકબીજાની સાથે મળીને સીનને વધુ સારો કરવા પ્રયત્ન કરીએ છીએ. તેનાથી જ બધું સરળ બની જાય છે. શૈઝાન ખાન એ ખૂબ જ સારો કલાકાર છે અને જ્યારે આવો તૈયાર, મસ્તીખોર અને સપોર્ટિવ વ્યક્તિ તમારી સાથએ હોય તો તેમની સાથે કામ કરવામાં વધુ મજા આવે છે. તે જ્યારે સાથે હોય તો, હંમેશાથી જ આસપાસનું વાતાવરણ સકારાત્મક બની રહે છે, જેનાથી લાંબા સમયના શૂટિંગના કલાકો વધુ હળવા બની જાય છે. તો હા, અમે સેટ પર અમે એકબીજાને જરા પણ નથી વખાણતા, પણ શૈઝાનની સાથે કામ કરવાની ખૂબ
જ મજા આવે છે.”પારિવારિક જોડાણ, સ્થિરતા અને સશક્તિકરણની લાગણી પર આધારીત ગંગા માઈ કી બેટિયાઁએ તેના દર્શકોના દિલ જિત્યાછે. અમનદીપ અને શૈઝાનની વચ્ચેની કેમિસ્ટ્રીએ #Snedhuને ટેલિવિઝન પરની ઓ-સ્ક્રીન સૌથી ચહિતી જોડીમાં આગળ વધાર્યા છે. આગામી એપિસોડમાં સિધ્ધુ સ્નેહા અને સહાના (પાત્ર કરી રહી છે, સૃષ્ટિ જૈન)ની મર્યાદાને બચાવવા આગળ આવે છે, પરંતુ આ બધી જ અફડા-તફડીમાં તેનો સામનો ગુંડાઓની સામે થાય છે અને તેનું જીવન મુશ્કેલીમાં મુકાય જાય છે. આ અનઅપેક્ષીત વણાંક દર્શકોને વધુ જકડી રાખશે.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here