ISIS મોડ્યુલ કેસને લઈને અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં શંકાના આધારે ત્રણની પૂછપરછ, સોશિયલ મીડિયા-ઇન્ટરસેપ્શન આધારે કાર્યવાહી

0
26
જેહાદી કૃત્ય કરવામાં સામેલ હોવાની શંકા
સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી પરંતુ NIA અને ગુજરાત ATSની ટીમ દ્વારા શકમંદે ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.

સુરત : ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. એનઆઈએ દ્વારા આજે ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એટીએસ દ્વારા રાજ્યના ચાર અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની શંકાના આધારે અમદાવાદ જિલ્લા, સુરત, નવસારી અને ભરૂચમાં કેટલાક શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર જગ્યાએ રેડ કરીને સંયોગી પુરાવા એકત્ર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અટકાયત કરેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. જેમની સામે દેશ વિરોધી કૃત્ય તેમજ જેહાદ કૃત્ય કરવામાં સામેલ હોવાની શંકા છે. હાલ આ તમામ કાર્યવાહી ચાલી રહી છે જેના બાદ નિષ્કર્ષ આવશે કે તેમનો રોલ આ સમગ્ર મામલે શું હતો?એનઆઈએ કેટલાક દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલાક દેશ વિરોધી તત્વોને સર્વિલન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન વગેરે બાબતોના આધારે ગુજરાતના ત્રણ લોકોને સસ્પેક્ટ ગણવામાં આવ્યા હતા જેવો દેશ વિરોધી કૃત કરવા માટે સક્રિય હતા. ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચની કેટલીક શકમંદ જગ્યાઓ પર રેડ કરી હતી. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે કે હાલ આનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે અને ત્રણ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ આ તપાસ ખૂબ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે આ તત્વો દેશ વિરોધી કૃત્ય કરવામાં ક્યાંક સામેલ હતા. ત્રણના સબંધો હાલ તપાસ એજન્સીની રડારમાં છે.સુરતના ભાગાતળાવ વિસ્તારની અંદર રહેતા એકની અટક કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. શકમંદ દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત મળી રહી છે. તેમની પાસેથી કેટલાક એવા દસ્તાવેજ પણ મળી શકે છે જેનાથી તેઓ દેશ વિરોધી કૃત્ય માટેના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી પરંતુ NIA અને ગુજરાત ATSની ટીમ દ્વારા શકમંદે ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.ગુજરાત ATS અને NIA દ્વારા અમદાવાદના શાહપુરમાં નંદન સોસાયટીમાં તપાસ કરવામાં આવી છે. ISISના મોડ્યુલ એક્ટિવ થયા હોવાની સંભાવનાને પગલે તપાસ કરવામાં આવી રહી છે. ઇમદાદઉલ્લા સત્તાર શેખ નામના યુવકની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નવસારીના ડાભેલ ગામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ઓપરેશન હાથ ધરાયુ હતું. જોકે, ઓપરેશનની માહિતી બહાર આવી નથી. આધારભૂત સૂત્રોથી મળતી માહિતી મુજબ શકમંદની અટકાયત થઈ હોય એવી શક્યતા બહાર આવી રહી છે.NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ભરૂચના આમોદ અને કંથારીયામાંથી શકમંદ પિતા-પુત્રની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બન્ને પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. બન્નેની પૂછપરછમાં કોઈ વાંધાજનક પ્રવૃત્તિ બહાર આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે.વહેલી સવારે NIAની ટીમ અને ગુજરાત ATSની ટીમ દ્વારા શકમંદની દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.