Saturday, September 5, 2026
HomeSportsIPLમાં આવા ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ! કડક નિયમ બનાવવા ટીમો કરી રહી...

IPLમાં આવા ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ! કડક નિયમ બનાવવા ટીમો કરી રહી છે માંગ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

IPL એ ભારત સહિત સમગ્ર દુનિયાના ખેલાડીઓને પોતાનો દમ બતાવવાની તક આપી છે. વિશ્વ ક્રિકેટના ઘણા મોટા ખેલાડી આ લીગમાં આવીને પોતાના પ્રદર્શનથી ચાહકોને મનોરંજન પૂરું પાડે છે. આ સાથે જ લાખો-કરોડોની કમાણી પણ કરે છે. તેમ છતાં અમુક ખેલાડી એવા પણ રહ્યાં છે, જેમણે પોતાની હરકતોથી આઈપીએલની ટીમો અને ચાહકોને ઘણી વખત ઉશ્કેર્યાં છે અને હવે આવા જ ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આ માગ પોતે ફ્રેંચાઈઝીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કરી છે. બીસીસીઆઈએ વાત માની લીધી તો અમુક ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
મુંબઈમાં બુધવાર 31 જુલાઈએ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેંચાઈઝી માલિકોની વચ્ચે એક મહત્વની બેઠક થઈ. આ મીટિંગમાં આઈપીએલની આગામી સિઝનને લઈને ઘણા મુદ્દા પર ચર્ચા અને નિર્ણય થયા, જેમાં મેગા ઓક્શન માટે સેલેરી પર્સ, ખેલાડીઓના રિટેન્શનની સંખ્યા, રાઈટ ટુ મેચ અને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ જેવા મુદ્દા સૌથી મહત્વના રહ્યાં. આ સિવાય ફ્રેંચાઈઝી માલિક બીસીસીઆઈની સામે આવા વિદેશી ખેલાડીઓનો મામલો પણ ઉઠાવી શકે છે.

જે ઓક્શનમાં તો વેચાઈ જાય છે પરંતુ સિઝન શરૂ થયા પહેલા અચાનક પોતાનું નામ પાછું લઈ લે છે.રિપોર્ટ અનુસાર ફ્રેંચાઈઝી માલિક આ મુદ્દે બોર્ડ પાસે કડક પગલા ઉઠાવવા કે નિયમ બનાવવાની માગ કરી શકે છે. જેથી ઓક્શન બાદ કોઈ ખેલાડીનું નામ પાછું લેવાથી ટીમોનું પ્લાનિંગ બગડે નહીં. તાજેતરમાં જ બીસીસીઆઈ સીઈઓ સાથે એક મીટિંગમાં તો અમુક ફ્રેંચાઈઝી માલિકોએ આવા ખેલાડીઓને IPL થી પ્રતિબંધ મૂકવાની માગ પણ કરી છે. હવે જો તમામ ફ્રેંચાઈઝી આ માગનું સમર્થન કરે છે અને બીસીસીઆઈ આ મુદ્દે પોતાની સંમતિ વ્યક્ત કરે છે તો અમુક ખેલાડી પર પ્રતિબંધ થઈ શકે છે. બીસીસીઆઈએ પણ આ મુદ્દાને મીટિંગના એજન્ડામાં સ્થાન આપીને પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા હતાં. આઈપીએલના લાંબા ઈતિહાસમાં ઘણા વિદેશી ખેલાડી અલગ-અલગ તક પર ટુર્નામેન્ટથી પોતાનું નામ પાછું લઈ રહ્યાં છે. અમુક પારિવારિક કારણોથી ટુર્નામેન્ટની વચ્ચેથી પાછા જતાં રહે છે, તો અમુક ખેલાડી ઓક્શનમાં વેચાઈ ગયા બાદ ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા વર્કલોડ મેનેજમેન્ટ કે માનસિક થાકનું કારણ આપીને નામ પાછું લઈ લે છે. ઈંગ્લેન્ડના જેસન રોય, એલેક્સ હેલ્સ અને ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસેન જેવા ખેલાડી 2-3 વખત આવું કરી ચૂક્યા છે. હવે જો બીસીસીઆઈ ફ્રેંચાઈઝીની વાત માને છે તો આ ખેલાડી ક્યારેય IPLમાં રમતાં જોવા મળશે નહીં.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here