Monday, March 9, 2026
HomeIndiaકલ્યાણ જ્વેલર્સે દરેક દુલ્હનના ‘કલ્યાણ મુહૂર્ત’ની ઉજવણી માટે નવું કેમ્પેઇન શરૂ કર્યું

કલ્યાણ જ્વેલર્સે દરેક દુલ્હનના ‘કલ્યાણ મુહૂર્ત’ની ઉજવણી માટે નવું કેમ્પેઇન શરૂ કર્યું

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને આઈકોનિક જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ તેના તાજેતરના કેમ્પેઇન “કલ્યાણ મુહૂર્ત દુલ્હન: તેની ઉજવણી” (કલ્યાણ મુહૂર્ત બ્રાઈડ: સેલિબ્રેટીંગ હર) શરૂ કરતા ગૌરવ અનુભવે છે. આ કેમ્પેઇન ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કેટરિના કૈફ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.વિશ્વભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે “કલ્યાણ મુહૂર્ત”ખાતે દરેક દુલ્હનને તેના વ્યક્તિત્વને અપનાવવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે. જે રીતે એક રત્ન(જેમ)ને ખાસ કટ હોય છે બસ એવી જ રીતે આ કેમ્પેઇન એવી તમામ ઉજવણીઓ કરે છે કે જે દરેક દુલ્હનને ખાસ બનાવે છે. એક મહિલા તેના લગ્નના દિવસે અનેક લાગણીસભરતાનો અહેસાસ કરે છે, અને આ પ્રકારની ક્ષણો દરમિયાન સહાયક મિત્રો બહૂમૂલ્ય બની જાય છે. આ મિત્ર એક સમર્થક, લાગણીસભર સહાયક, ખુશીમાં વધારો કરનાર અને વિશ્વાસ આપનાર તરીકે કાર્ય કરે છે.આ કેમ્પેઇનમાં કેટરિના કૈફ એક યુવા દુલ્હનની ઘનિષ્ઠ મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહી છે, જે સુંદર સજાવટતા અને ખુશી સાથે દુલ્હનને તેના લગ્ન પ્રસંગ નિમિત્તે વિવિધ પસંદગીઓમાં મદદરૂપ બને છે. કેટરિનાનો સુરક્ષાત્મક સ્નેહ દુલ્હનના યુવા ઉત્સવને સવિશેષપણે નિખારે છે. આ કેમ્પેઇન કેટરિનાના નાજુક એટલે કે કુશળ હાવભાવના માધ્યમથી ઓડિયન્સનું માર્ગદર્શન કરે છે, જે પરંપરાગત શાલીનતા અને શાનની સામાજીક અપેક્ષાથી ઉપર ઉઠી તેના મિત્રના વ્યક્તિત્વની લાગણીસભરતાનું પૂરું સન્માન કરે છે. લગ્ન એટલે પોતાના ખરા સ્વરૂપને અપનાવવું અને તે ક્ષણનો આનંદ લેવો.આ ઉજવણી એટલે કે સેલિબ્રેશનના કેન્દ્રમાં “કલ્યાણ મુહૂર્ત”, એટલે કે શુભ સમય છે. કલ્યાણ જ્વેલર્સ દરેક “મુહૂર્ત”ના ખાસ મહત્ત્વને ધ્યાનમાં રાખી દરેક દુલ્હન માટે ખાસ વેડિંગ કલેક્શનની ઓફર રજૂ કરે છે.આ કેમ્પેઇન એવા બ્રાઈડલ કલેક્શનને દર્શાવે છે કે જેમાં પરંપરાગત આર્ટીસ્ટ્રી એટલે કે કલાત્મકતા તથા સમકાલીન ડિઝાઈનનો સમનવય કરી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલ આભૂષણોનો સમાવેશ થાય છે. આ કલેક્શનમાં ભારતના દરેક રાજ્યના એક્સક્લુઝીવ ગોલ્ડ, અનકટ ડાયમંડ, કિંમતી પથ્થર તથા ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થાય છે, આ દરેક આભૂષણ દુલ્હનની ખાસ ચમકને વધુ નિખાર આપી શકે, આ ખાસ દિવસને વિશેષ યાદગાર બનાવી શકાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે.

“કલ્યાણ મુહૂર્ત દુલ્હન: તેની ઉજવણી” (કલ્યાણ મુહૂર્ત બ્રાઈડ: સેલિબ્રેટીંગ હર) કેમ્પેઇન હવે તમામ પ્લેટફોર્મ પર લાઈવ થયું છે, જેમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. રજૂ કરવામાં આવેલ જ્વેલરી પાઈસિસ વિશ્વભરમાં કલ્યાણ જ્વેલર્સના તમામ શોરૂમ ખાતે ઉપલબ્ધ છે, જે દુલ્હનો તથા તેમના મિત્રો અથવા તો પરિવારના સભ્યોને એવી ડિઝાઈન પસંદ કરવાની તક આપે છે કે જે તેમની પર્સનલ સ્ટોરી એટલે કે વ્યક્તિગત ગાથા અને શેર કરેલ યાદો પ્રતિત થાય છે.આ કેમ્પેઇન ભારતમાં ખૂબ જ જાણીતા એવા લગ્નગાળાની સિઝન માટે સમર્પિત છે, આ અંગે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા (સીએઆઈટી)ની માહિતી પ્રમાણે નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન આશરે 48 લાખ લગ્ન પ્રસંગોના આયોજન સાથે રૂપિયા 6 લાખ કરોડ (આશરે 72 બિલિયન ડોલર)નો કારોબાર થશે. આ હૃદયસ્પર્શી કેમ્પેઇન દુલ્હન અને તેના નજીકના મિત્રો વચ્ચેના વિશેષ લાગણીસભર સંબંધને દર્શાવે છે, અને ખુશી, સમર્થન તથા શેર કરેલ યાદગાર ક્ષણો પર ભાર આપે છે અને લગ્નને ખરા અર્થમાં યાદગાર બનાવે છે.આ કેમ્પેઇન વિશે વધુ માહિતી માટે અને બ્રાઈડલ કલેક્શન એટલે કે દુલ્હન કલેક્શન અંગે જાણકારી માટે તમારી નજીકના કલ્યાણ જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અથવા અમારી અધિકૃત વેબસાઈટ પર જાઓ.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here