
નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય છે. કળશ વિસર્જન કોઈ નોમની તિથિએ કરે છે તો કોઈ દશેરાનાં દિવસે કરે છે. કળશ વિસર્જનને ઘટ વિસર્જન પણ કહેવામાં આવે છે. જે લોકો નવમીનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓ 1 ઓક્ટોબરનાં રોજ કરશે અને જે લોકો દશેરાનાં દિવસે કળશ વિસર્જન કરે છે તેઓએ 2 ઓક્ટોબરનાં રોજ કરવાનું રહેશે. તો જાણો કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ, મંત્ર અને મુહૂર્ત સહિતની અનેક વિધિ.નવમીનાં રોજ તમે કળશ વિસર્જન કરો છો તો કન્યા પૂજન પછી પણ કળશ વિસર્જન કરી શકો છો. આ સાથે જે લોકો દશમીનાં દિવસે કરે છે એમના માટે કળશ વિસર્જનનું મુહૂર્ત 2 ઓક્ટોબર 2025 નાં રોજ 06:15 થી 08:37 સુધીનું રહેશે.સૌથી પહેલાં કળશની ઉપર મૂકેલું નારિયેળ ઉઠાવો અને પછી પ્રસાદ રૂપે દરેક લોકોને આપો. ત્યારબાદ કળશમાં મૂકેલાં જળને કપાળ અને આંખ પર લગાવો. ત્યારબાદ પાનની મદદથી પૂરાં ઘરમાં અને પરિવારનાં લોકો પર છાંટો.


