Saturday, June 27, 2026
HomeAhmedabadરામાયણને મન,બુદ્ધિથી અને ચિતથી સાંભળજો, પણ અહંકાર મુક્ત થઈને સાંભળજો.

રામાયણને મન,બુદ્ધિથી અને ચિતથી સાંભળજો, પણ અહંકાર મુક્ત થઈને સાંભળજો.

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઓશોની પ્રબુધ્ધ ચેતનામયી ભૂમિ જબલપુરથી ચાલતી રામકથાનો પાંચમો દિવસ,આરંભે કેન્દ્રીય મંત્રી અને નર્મદાની બે વખત પરિક્રમા કરનારા પ્રહલાદસિંહ પટેલે પોતાનાં બે બોલ કહ્યા. કૈલાશ પીઠાધીશ્વર આશ્રમ-ઋષિકેશ કે જ્યાં બાપુના દાદા-ગુરુનાં ભાઈ રહેતા હતા અને સંન્યાસ ધારણ કર્યો હતો એ બ્રહ્મલીન વિદ્યાનંદ ગિરિજી જેમણે આશ્રમમાં ૧૨ ઉપનિષદોનો વિશેષ રૂપથી અભ્યાસ કર્યો હતો એ ઉપનિષદોમાંથી એક મંત્ર બાપુએ આરંભે કહ્યો હતો. અરણ્ય કાંડમાં રામચરિત માનસ સાંભળવાની શરત બતાવતા રામે લક્ષ્મણના પાંચ પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું કે મારી વાત પૂરા અંતઃકરણથી ન સાંભળતો. મનથી,બુદ્ધિથી અને ચિતથી સાંભળજે પણ અહંકાર મુક્ત થઈને સાંભળજે. જે બુદ્ધિથી પર તત્વ-બ્રહ્મ છે એ તર્કમુક્ત બુદ્ધિ કરીને નજીક લાવી શકાય છે.ચિત્તનો નિરોધ નહીં પણ પ્રબોધ કરવો જોઈએ.નિરોધ કરવાની વાત થોડીક આક્રમક છે.મધ્યકાલીન સંતોએ મન અને ચિતને પ્રબોધ કરેલું છે. ઉપનિષદની ઊંચાઈ સુધી પહોંચે એવું કોઈ નથી. ચાંદ,તારા,સોમ અને સૂર્ય,ગૌરીશંકર શિખર પણ નીચે છે. મને અત્યંત નજીક પડે એવા મંત્રોની મેં નોટ બનાવેલી જેમાં આવા ૧૮ ઉપનિષદીય મંત્ર મને પસંદ હતા.એમાંનો એક મંત્ર: સ યો હ વૈ તત્ પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ નાસ્યા બ્રહ્મવિત કૂલે ભવતિ તર્તિશોક તર્તિપાપ્માન્ ગુહાગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતિ વિષ્ણુદાદા કહે છે: જે આ બ્રહ્મને જાણી લે છે એ બ્રહ્મ થઈ જાય છે.રામ-રામનું રટણ કરનાર રામનું દર્શન કરી શકે કે ન કરી શકે પણ રામમય બની જાય છે.કારણ કે રામ મનુષ્ય રૂપમાં બ્રહ્મ છે.સાચા દિલના આંગણામાં રામ નિરાકાર છે અને દશરથનાં આંગણામાં એ સગુણ છે. એટલે તો ગઝલમાં કહ્યું છે:
જો સજર સુખ ગયા વો હરા હો કૈસે
મૈં પયગંબર તો નહિ મેરા કહા હો કૈસે
જીસે મૈં જાન નહિં પાયા ઉસે ખુદા કહું કૈસે
જીસકો મૈને જાન લિયા વો ખુદા હો કૈસે!

અખંડ બ્રહ્મ પૂરેપૂરો જાણવામાં નહીં આવે પણ જેટલો જાણી શકાય એમાં આનંદ કરી લ્યો.એનું નામ અથવા રૂપ અથવા લીલા કે પછી એનું ધામ જે સમજમાં આવે એમાં આનંદ કરો. બ્રહ્મને જાણવાવાળાનાં કૂળમાં કોઈ બ્રહ્મને ન જાણે એવું નહિ બને. ઘરમાં એક વ્યક્તિ એક દીવો સળગાવે તો પણ ચોર પ્રવેશ કરતો નથી.બ્રહ્મને જાણી લઈએ એવી ઘટના જેના જીવનમાં ઘટી ત્યાં ક્યારેય શોક રહેતો નથી. જ્યારે હું સંગીત વગર કથા કરતો હતો,૬૦ વર્ષ પહેલા,ત્યારે ખૂબ નાનકડા ગામ દેવલી દકાનામાં ઓશો જ્યારે આચાર્ય રજનીશ નામે હતા એ વખતથી હું ઓશોની વાતો કરતો.લાઓત્સુનો પરિચય ઓશો દ્વારા મને થયો અને ઓશોનો પરિચય વ્યાસપીઠે થોડો-થોડો દુનિયાને કરાવ્યો!

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here