મહેશ સવાણીને લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યોઃ ધર્મેશ ભંડેરી

0
24
હું રાજકારણમાં અત્યારે હાલ જોડાવાનો નથી અને પાર્ટી છોડવાનો મારો જે નિર્ણય છે તેના ઉપર હું અડગ છું.
હું રાજકારણમાં અત્યારે હાલ જોડાવાનો નથી અને પાર્ટી છોડવાનો મારો જે નિર્ણય છે તેના ઉપર હું અડગ છું.

ધર્મેશ ભંડેરી (વિરોધ પક્ષના નેતા)એ જણાવ્યું હતું કે, મારી મહેશ સવાણી સાથે ખૂબ જ લાંબી ચર્ચા થઈ છે. આજે સવારે પણ એમનો મેસેજ મારા ઉપર આવ્યો હતો. મેસેજમાં મહેશ સવાણીએ સ્પષ્ટ લખ્યું હતું કે, હું તમારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી અને આ મેસેજ વાંચ્યા બાદ ફરી એક વખત મને એવું થયું કે મહેશ સવાણી પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેના કારણે હું અહીં આવ્યો છું. પરંતુ તેમણે જે કેટલીક પારિવારિક મુશ્કેલીઓની વાત પર અમારી સાથે ચર્ચા કરી છે અને તેમની સાથે જોડાયેલી દીકરીઓનો પણ ભાવ હતો કે તેઓ હાલ રાજકારણમાં ન રહે અને સમાજ સેવા જ કરે એ પ્રકારે તેમણે નિર્ણય લીધો છે. છતાં લાંબા સમય સુધી અમે સાથે કામ કર્યું હોવાથી અમારી એવી ચોક્કસ અપેક્ષાઓ હતી કે તેઓ ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિચારણા કરે પરંતુ તેમણે પોતે લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને તેમના નિર્ણયનો આદર કરીએ છે.