Monday, April 21, 2025
HomeGujaratસુરતમાં પાંચ વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા, દુષ્કર્મની આશંકા

સુરતમાં પાંચ વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા, દુષ્કર્મની આશંકા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

શહેરના છેવાડે આવેલા પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યાકરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી છે. પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવા સાથે તેનું અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકાની વિગતો સામે આવી છે.  મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ આ ખબર પડી શકે છે કે બાળકી સાથે દુષ્કર્મ થયુ હતુ કે નહીં.  પોલીસે એક અપરાધીની ધરપકડ પણ કરી લીધી હોવાની જાણકારી મળી રહી છે.સુરતની સૂરત બગાડતી વધુ એક ઘટના સામે આવતાં સુરતમાં ચકચાર સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમો દ્વારા મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવાની આશંકા સેવવામાં આવી રહી છે.દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે, આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભયાનગર નાયક પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ બાળકી નજીકમાં શ્રમજીવી પરિવારમાં રહેતી હોવાની વિગતો સામે આવી હતી અને પરિવાર સાથે સુતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમો દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here