Sunday, April 20, 2025
HomeIndiaનાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને સાત

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને સાત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
HMPV

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ (સિવયર એક્યુએટ રિસપેરટરી ઇન્ફેકશન) સહિતના શ્વસન સંબધી રોગોની તપાસ વધારવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (HMPV)થી બચવા માટેના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું છે. આજે નાગપુરમાં એચએમપીવીના બે કેસ જોવા મળતા દેશમાં આ વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. મંગળવારે નાગપુરમાં એચએમપીવીના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાં. જો કે બંનેને સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી તેમ વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને દર્દીઓના સેમ્પલ નાગપુરની એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ) અને પુણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત સહિત દેશમાં એચએમપીવીના પાંચ કેસો હતાં. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને ચિંતાની કોઇ જરૂર નથી.કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીવાસ્તવે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વાઈરસથી ડરવાની જરૂર નથી કે કારણકે સમગ્ર વિશ્વમાં ૨૦૦૧થી આ વાઈરસ અસ્તિત્વમાં છે.

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી દ્વારા મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here