Friday, June 26, 2026
HomeIndiaનાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને સાત

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને સાત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...
HMPV

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ (સિવયર એક્યુએટ રિસપેરટરી ઇન્ફેકશન) સહિતના શ્વસન સંબધી રોગોની તપાસ વધારવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (HMPV)થી બચવા માટેના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું છે. આજે નાગપુરમાં એચએમપીવીના બે કેસ જોવા મળતા દેશમાં આ વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. મંગળવારે નાગપુરમાં એચએમપીવીના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાં. જો કે બંનેને સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી તેમ વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને દર્દીઓના સેમ્પલ નાગપુરની એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ) અને પુણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત સહિત દેશમાં એચએમપીવીના પાંચ કેસો હતાં. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને ચિંતાની કોઇ જરૂર નથી.કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીવાસ્તવે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વાઈરસથી ડરવાની જરૂર નથી કે કારણકે સમગ્ર વિશ્વમાં ૨૦૦૧થી આ વાઈરસ અસ્તિત્વમાં છે.

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી દ્વારા મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here