
ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન નવીન મંગળવારે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળશ. આ ક્ષણ સત્તાપક્ષના સંગઠનાત્મક નેતૃત્વ માટે એક મહત્વની ક્ષણ હશે. વડાપ્રડાન નરેન્દ્ર મોદી પાર્ટીના ઘણા સીનિયર નેતાઓ સાથે શપથ ગ્રહણ સમારોહમાં શામેલ રહેશે. આ કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યોના અધ્યક્ષો અને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્યોના ભાગ લેવાની આશા છે. ભાજપાએ સોમવારે નામાંકન બાદ નીતિન નવીનને રાષ્ટ્રીય અધ્યક્ષ માટે એકમાત્ર ઉમેદવાર ઘોષિત કર્યા, જેનાથી તેમને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરિફ ચૂંટવાનો માર્ગ મોકળો થયો. 14 ડિસેમ્બર 2025ના રોજ નિયુક્ત કરાયેલા 45 વર્ષીય નેશનલ વર્કિંગ પ્રેસિડેન્ટ નવીનને ભાજપાની ટૉપ લીડરશીપનો જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના જનારા અધ્યક્ષ જેપી નડ્ડા શામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘નીતિન નવીનજી ભાજપના વારસાને આગળ વધારશે. આજના યુવાઓની ભાષામાં કહીએ તો નીતિનજી ખુદ એક રીતે મિલેનિયલ છે. આગામી 25 વર્ષ ઘણા જરૂરી છે. આ તે સમય છે જ્યારે એક ડેવલપ્ડ ઇન્ડિયા બનવાનો છે અને આ થવાનું નક્કી છે. જરૂરી સમયની શરૂઆતમાં આપણા નીતિન નવીનજી ભાજપના વારસાને આગળ વધારશે. આજના યુવાઓની ભાષામાં કહીએ તો નીતિનજી ખુદ એક રીતે મિલેનિયલ છે. તે આ પેઢીના છે જેને ભારતમાં મોટા ઇકોનોમિક, સોશિયલ અને ટેકનોલોજિકલ બદલાવ જોયા છે. આ તે પેઢીના છે જેમણે બાળપણમાં રેડિયો પરથી જાણકારી લીધી અને હવે AIના એક્ટિવ યૂઝર છે. નીતિનજીમાં યુવા એનર્જી અને ઓર્ગેનાઇઝનલ કામનો અનુભવ છે. તે અમારી પાર્ટીના દરેક કાર્યકર્તા માટે ઘણા ફાયદાકારક હશે.’


