Friday, June 26, 2026
HomeMumbai30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કરિશ્મા કપૂરને નોટિસ ફટકારી છે. આ નોટિસ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કરવામાં આવી છે, જેમાં કરિશ્મા અને સંજય કપૂરના છૂટાછેડા સંબંધિત દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કરિશ્મા કપૂરને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે.આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એસ. ચંદુરકરે તેમના ચેમ્બરમાં કરી હતી. પ્રિયા સચદેવે કોર્ટને વિનંતી કરી છે કે, તેમને વર્ષ 2016માં કરિશ્મા અને સંજય કપૂર વચ્ચે થયેલા છૂટાછેડા સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવે.પ્રિયાનું કહેવું છે કે સંજય કપૂરના નિધન બાદ તે તેની કાયદેસરની વારસદાર છે અને સંજયની સંપત્તિ સંબંધિત કાયદાકીય બાબતોમાં તેને સીધો રસ છે. તેણે દલીલ કરી છે કે છૂટાછેડાના દસ્તાવેજો દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ વારસાઈ (સક્સેશન) કેસમાં સત્તાવાર ઉપયોગ માટે જરૂરી છે. આ દસ્તાવેજો દ્વારા તે તે સમયે થયેલા આર્થિક કરાર અને બાળકોની કસ્ટડી સંબંધિત તથ્યોની પુષ્ટિ કરવા માંગે છે.નોંધનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડા ઘણા વિવાદોથી ભરેલા રહ્યા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યા હતા અને તેના માટે તેની કથિત નશાની લતને જવાબદાર ઠેરવી હતી. જોકે, લાંબી કાયદાકીય લડાઈ બાદ બંનેએ પરસ્પર સહમતિથી 2016માં છૂટાછેડા લીધા હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here