Sunday, March 16, 2025
HomeGujaratરાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત

રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img
  • છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના 410 ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
  • રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા
  • રાજકોટ જિલ્લામાં 75 ગામમા ‘0’ પોઝિટિવ કેસ નોંધાયા
  • સૌથી ઓછા ધોરાજી તાલુકામાં 16 ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ :રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 51 કેસ મળી કુલ 165 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોના કેસ ઘટવામાં રસીકરણ પણ મોટો રોલ ભજવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અનેક ગામ કોરોનામુક્ત બની રહ્યાં છે. આંકડા મુજબ, રાજકોટ જિલ્લાના 189 ગામ કોરોના મુક્ત થયા છે. bછેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના 410 ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના 4 ગામ જ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં 75 ગામમા ‘0’ પોઝિટિવ કેસ નોંધાયા. તો સૌથી ઓછા ધોરાજી તાલુકામાં 16 ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. આ આંકડા બતાવે છે કે, રાજકોટ જિલ્લામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. એપ્રિલ માસ રાજકોટ માટે સૌથી કપરો સાબિત થયો હતો. પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં સ્થિતિ થાળે પડી જશે તેવી આશા બંધાઈ છે. રાજકોટ જિલ્લામાં 542 સર્વેલન્સની ટીમે 36966 લોકોનો સર્વે કરતા માત્ર 99 લોકોમાં જ લક્ષણો જોવા મળ્યા હતાતો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગઈકાલે મહત્વની જાહેરાત કરી કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલમાં 200 બેડની બાળકોની હોસ્પિટલ તૈયાર કરાશે. સમરસ હોસ્ટેલમાં 400 બેડ સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરાયા છે. ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા પર ખાસ ફોક્સ કરાયું છે. આ માટે સ્પેશિયલ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા આગામી 2 દિવસમાં બધુ ફાઇનલ કરશે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here