Thursday, April 24, 2025
Homenationalગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય...

ગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, PMએ કહી આ વાત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે લઈ જવા માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં 108 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરાયું હતું.  2024ના આગમન સાથે પહેલા દિવસે જ જગપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે રાજ્યના પ્રસિદ્ધ 108 જેટલાં સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મહેસાણામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.  પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું. 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરાયો. જેવું કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જ 108ના આંકડાનું વિશેષ મહત્ત્વ છે પીએમ મોદીએ આગળ કહ્યું કે આયોજન સ્થળોમાં પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ સામેલ છે જ્યાં અનેક લોકો જોડાયા હતા. આ ખરેખર તો યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો, ઘણાં ફાયદા થશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here