Sunday, April 20, 2025
HomeSpecialPM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં...

PM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 20,000 કરોડ રૂપિયા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી. PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારના ખાતામાં 20,000 રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરશે. શનિવારે પીએમ મોદી પીએમ કિસાન સન્માન નિધિઅંતર્ગત 10મો હપ્તો જાહેર કરશે. જોકે, આ દરમિયાન આશરે બે કરોડ ખેડૂતો માટે માઠા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2 કરોડથી વધારે ખેડૂતોને નવા વર્ષે બે હજારનો હપ્તો મળવામાં મોડું થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નાના તેમજ સીમાંત ખેડૂતોની આવક વધે અને જીવનધોરણ સુધરે તે માટે સરકારે દેશભરમાં ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જમા કરવામાં આવે છે.સરકાર 10 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલી માહિતી પ્રમાણે 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે. એટલે કે બે કરોડથી વધારે ખેડૂતોએ રકમ માટે રાહ જોવી પડશે. તેમણે પોતાનું નામ ચેક કરવું પડશે.પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત પરિવારને વર્ષે 6,000 રૂપિયા મળે છે. આ છ હજાર રૂપિયા 2,000 રૂપિયાના ત્રણ સમાન ચાર મહિનાના હપ્તામાં વહેંચી દેવામાં આવે છે. આ રકમ લાભાર્થી ખેડૂતના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારસુધી લાભાર્થી ખેડૂતોને 1.6 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન આશરે 351 જેટલા ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયા જેટલી ઇક્વિટી ગ્રાન્ટ પણ આપશે. જેનાથી 1.24 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન FPO સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને પણ સંબંધોન કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પણ હાજર રહેશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here