Friday, June 5, 2026
HomeAhmedabadપોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ...

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આઇગોટ કર્મયોગી દ્વારા આધુનિક વહીવટી અને મેનેજમેન્ટ તાલીમથી સેવા ગુણવત્તામાં સતત સુધારો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. તેમણે ‘ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ તાલીમ પૂર્ણ કરનાર પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્રો પણ વિતરણ કર્યા. આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયુષ રજક પણ ઉપસ્થિત રહ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇગોટ (ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઑનલાઇન ટ્રેનિંગ) – કર્મયોગી પ્લેટફોર્મ આ દિશામાં એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભર્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક વહીવટી, ટેકનિકલ અને મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેના પરિણામે સેવા ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. આઇગોટ – કર્મયોગીની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન કર્મયોગી અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમતા કેન્દ્રિત તાલીમ આપી તેમને વધુ સક્ષમ, જવાબદાર, નવીનતાસભર અને નાગરિક કેન્દ્રિત બનાવવાનો છે. આ સમગ્ર પહેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 08 ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર અને 01 રીજનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર સક્રિય રીતે કાર્યરત છે, જે પોસ્ટલ કર્મચારીઓના સતત તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 13,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 10,000ને ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે અને 3,000ને ઑનલાઇન માધ્યમથી તાલીમ આપવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા આઇગોટ પ્લેટફોર્મ મારફતે વિવિધ સમયોચિત અને ઉપયોગી તાલીમ કોર્સો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કન્ડક્ટ રૂલ્સ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, પોસ્ટ ઑફિસ રેગ્યુલેશન્સ 2024, એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી 2.0 હેઠળ એમઆઇએસ રિપોર્ટ્સ, મેનેજિંગ એન્ડ લીડિંગ ટીમ તેમજ ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. આ કોર્સોના માધ્યમથી કર્મચારીઓને માત્ર ટેકનિકલ કુશળતા જ પ્રાપ્ત થતી નથી, પરંતુ નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત બની રહી છે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા રેલવે મેઇલ સર્વિસના કર્મચારીઓને તાલીમ માટે અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. આ સેન્ટર મારફતે 800થી વધુ કર્મચારીઓને સીધો તાલીમનો લાભ મળશે, જેના કારણે તેમની કાર્યક્ષમતા, નેતૃત્વ ક્ષમતા અને ટેકનિકલ કુશળતામાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાલીમ કેન્દ્રનો પૂર્ણ અને મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજક, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, સહાયક અધિક્ષક શ્રી રિતુલ ગાંધી, સુશ્રી પ્રેયલ શાહ, નિરીક્ષક સુશ્રી સોનલ દેસાઈ, શ્રી વિજય રાઠોડ, શ્રી રોનક શાહ, ડીસીટીસી ટ્રેનર શ્રી સંજય ચૌહાણ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here