
આજથી વર્ષ 2026ની શરૂઆત થઈ છે. નવા વર્ષનો પહેલો જ દિવસ રાજ્યના IAS-IPS અધિકારીઓ માટે શુભ સાબિત થયો છે. ગુજરાત સરકાર દ્વારા IAS-IPS અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર રિલીઝ કરવામાં આવ્યો છે. જે મુજબ એક સાથે 14 IPS અધિકારીઓને પ્રમોશન કરાયું છે, આ ઉપરાંત IAS અધિકારીઓના પણ પ્રમોશન થયા છે અને ગ્રેડ પેમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. IPS અધિકારીઓના પ્રમોશનની વાત કરીએ તો વડોડરા શહેરના પોલીસ કમિશનર IPS નરસિંમ્હા એન. કોમારને DG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમનો ગ્રેપ પે લેવલ 16નો રહેશે. તેઓ 1996ની બેચના IPS ઓફિસર છે. 1996ની બેચના ડો. એસ. રાજકુમાર જેઓ ગાંધીનગરના ADG હતા તેમને પણ DG તરીકે પ્રમોશન અપાયું છે. તો અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર IPS નીરજ બડગુજરને IG તરીકે પ્રમોટ કરાયા છે. ગાંધીનગર ઈન્ટેલિજન્સ વિભાગમાં SP તરીકે સેવારત ડો. સુધિરકુમાર દેસાઈને DIG તરીકે પ્રમોશન અપાયું છે. તો સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ડો. કરણરાજ વાઘેલાને DIG તરીકે પ્રમોટ કરાયા છે.2013ની બેચના 13 IAS અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને હવે લેવલ 13 પે મેટ્રિક્સ મુજબ પગાર તથા અન્ય ભથ્થા ચૂકવાશે. ગુજરાતના નાણા વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કાર્યરત IAS ડો. ટી. નટરાજનને ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. ઈન્ડસ્ટ્રીયલ અને માઈન્સ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી IAS મમતા વર્માને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોટ કરાયા છે.


