Friday, May 2, 2025
HomeEntertainmentBollywoodરણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

રણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

Date:

spot_img

Related stories

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...
spot_img

બોલિવૂડના મોસ્ટ અવેઇટેડ વેડિંગ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના છે. બંને 17 એપ્રિલે લગ્ન કરવાનાં છે. RK સ્ટુડિયો અથવા RK હાઉસમાં આ બેમાંથી એક જગ્યાએ બંને ફેરા ફરે એવી શક્યતા છે. થોડા દિવસોમાં જ વેડિંગ વેન્યુ નક્કી કરવામાં આવશે. લગ્નનાં વિવિધ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે.

14 એપ્રિલે મહેંદી સેરેમની
આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. 13 એપ્રિલના રોજ મહેંદી સેરેમની, 14મીએ સંગીત તથા 16મીએ હલ્દી સેરેમની યોજાશે. ત્યાર બાદ 17મીએ આલિયા તથા રણબીર લગ્ન કરશે. આલિયા તથા રણબીર પંજાબી વિધિથી લગ્ન કરશે.આલિયા તથા રણબીરે હજી સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે કપૂર તથા ભટ્ટ પરિવારે મહેમાનોને 14થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવાનું કહ્યું છે. રણબીર કપૂરે કરિયરનાં આટલાં વર્ષોમાં જે પણ ટેક્નિશિયન સાથે કામ કર્યું છે તે તમામને આમંત્રણ આપવાનો છે, જેમાં હેર-મેક અપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ્સ વગેરે સામેલ છે. ભટ્ટ તથા કપૂર પરિવાર ઉપરાંત લગ્નમાં અયાન મુખર્જી, ફેશન-ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરન જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરીના કૈફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા શાહરુખ ખાનને લગ્નમાં ઇન્વાઇટ કરવાની છે. આ ઉપરાંત તે અર્જુન કપૂર, ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજનને પણ બોલાવશે.એપ્રિલ એન્ડમાં રણબીર તથા આલિયા લૅવિશ રિસેપ્શન આપશે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી હાજર રહેશે. રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, શાહરુખ ખાન, અયાન મુખર્જી, અનિલ કપૂર, અર્જુન કપૂર, કરન જોહર, વિકી કૌશલ, અનુષ્કા રંજન, વરુણ ધવન, કરન જોહર, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સને આમંત્રણ આપશે.

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here