Friday, June 5, 2026
HomeEntertainmentBollywoodરણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

રણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બોલિવૂડના મોસ્ટ અવેઇટેડ વેડિંગ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના છે. બંને 17 એપ્રિલે લગ્ન કરવાનાં છે. RK સ્ટુડિયો અથવા RK હાઉસમાં આ બેમાંથી એક જગ્યાએ બંને ફેરા ફરે એવી શક્યતા છે. થોડા દિવસોમાં જ વેડિંગ વેન્યુ નક્કી કરવામાં આવશે. લગ્નનાં વિવિધ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે.

14 એપ્રિલે મહેંદી સેરેમની
આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. 13 એપ્રિલના રોજ મહેંદી સેરેમની, 14મીએ સંગીત તથા 16મીએ હલ્દી સેરેમની યોજાશે. ત્યાર બાદ 17મીએ આલિયા તથા રણબીર લગ્ન કરશે. આલિયા તથા રણબીર પંજાબી વિધિથી લગ્ન કરશે.આલિયા તથા રણબીરે હજી સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે કપૂર તથા ભટ્ટ પરિવારે મહેમાનોને 14થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવાનું કહ્યું છે. રણબીર કપૂરે કરિયરનાં આટલાં વર્ષોમાં જે પણ ટેક્નિશિયન સાથે કામ કર્યું છે તે તમામને આમંત્રણ આપવાનો છે, જેમાં હેર-મેક અપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ્સ વગેરે સામેલ છે. ભટ્ટ તથા કપૂર પરિવાર ઉપરાંત લગ્નમાં અયાન મુખર્જી, ફેશન-ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરન જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરીના કૈફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા શાહરુખ ખાનને લગ્નમાં ઇન્વાઇટ કરવાની છે. આ ઉપરાંત તે અર્જુન કપૂર, ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજનને પણ બોલાવશે.એપ્રિલ એન્ડમાં રણબીર તથા આલિયા લૅવિશ રિસેપ્શન આપશે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી હાજર રહેશે. રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, શાહરુખ ખાન, અયાન મુખર્જી, અનિલ કપૂર, અર્જુન કપૂર, કરન જોહર, વિકી કૌશલ, અનુષ્કા રંજન, વરુણ ધવન, કરન જોહર, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સને આમંત્રણ આપશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here