રણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

0
3
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર 17 એપ્રિલે લગ્ન કરશે
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર 17 એપ્રિલે લગ્ન કરશે

બોલિવૂડના મોસ્ટ અવેઇટેડ વેડિંગ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના છે. બંને 17 એપ્રિલે લગ્ન કરવાનાં છે. RK સ્ટુડિયો અથવા RK હાઉસમાં આ બેમાંથી એક જગ્યાએ બંને ફેરા ફરે એવી શક્યતા છે. થોડા દિવસોમાં જ વેડિંગ વેન્યુ નક્કી કરવામાં આવશે. લગ્નનાં વિવિધ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે.

14 એપ્રિલે મહેંદી સેરેમની
આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. 13 એપ્રિલના રોજ મહેંદી સેરેમની, 14મીએ સંગીત તથા 16મીએ હલ્દી સેરેમની યોજાશે. ત્યાર બાદ 17મીએ આલિયા તથા રણબીર લગ્ન કરશે. આલિયા તથા રણબીર પંજાબી વિધિથી લગ્ન કરશે.આલિયા તથા રણબીરે હજી સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે કપૂર તથા ભટ્ટ પરિવારે મહેમાનોને 14થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવાનું કહ્યું છે. રણબીર કપૂરે કરિયરનાં આટલાં વર્ષોમાં જે પણ ટેક્નિશિયન સાથે કામ કર્યું છે તે તમામને આમંત્રણ આપવાનો છે, જેમાં હેર-મેક અપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ્સ વગેરે સામેલ છે. ભટ્ટ તથા કપૂર પરિવાર ઉપરાંત લગ્નમાં અયાન મુખર્જી, ફેશન-ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરન જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરીના કૈફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા શાહરુખ ખાનને લગ્નમાં ઇન્વાઇટ કરવાની છે. આ ઉપરાંત તે અર્જુન કપૂર, ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજનને પણ બોલાવશે.એપ્રિલ એન્ડમાં રણબીર તથા આલિયા લૅવિશ રિસેપ્શન આપશે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી હાજર રહેશે. રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, શાહરુખ ખાન, અયાન મુખર્જી, અનિલ કપૂર, અર્જુન કપૂર, કરન જોહર, વિકી કૌશલ, અનુષ્કા રંજન, વરુણ ધવન, કરન જોહર, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સને આમંત્રણ આપશે.