Monday, June 29, 2026
HomeEntertainmentBollywoodરણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

રણબીર-આલિયાના પંજાબી વેડિંગ: 13મીએ મહેંદી સેરેમનીથી લગ્નનાં ફંક્શન શરૂ થશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બોલિવૂડના મોસ્ટ અવેઇટેડ વેડિંગ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના છે. બંને 17 એપ્રિલે લગ્ન કરવાનાં છે. RK સ્ટુડિયો અથવા RK હાઉસમાં આ બેમાંથી એક જગ્યાએ બંને ફેરા ફરે એવી શક્યતા છે. થોડા દિવસોમાં જ વેડિંગ વેન્યુ નક્કી કરવામાં આવશે. લગ્નનાં વિવિધ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે.

14 એપ્રિલે મહેંદી સેરેમની
આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરન જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. 13 એપ્રિલના રોજ મહેંદી સેરેમની, 14મીએ સંગીત તથા 16મીએ હલ્દી સેરેમની યોજાશે. ત્યાર બાદ 17મીએ આલિયા તથા રણબીર લગ્ન કરશે. આલિયા તથા રણબીર પંજાબી વિધિથી લગ્ન કરશે.આલિયા તથા રણબીરે હજી સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે કપૂર તથા ભટ્ટ પરિવારે મહેમાનોને 14થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવાનું કહ્યું છે. રણબીર કપૂરે કરિયરનાં આટલાં વર્ષોમાં જે પણ ટેક્નિશિયન સાથે કામ કર્યું છે તે તમામને આમંત્રણ આપવાનો છે, જેમાં હેર-મેક અપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ્સ વગેરે સામેલ છે. ભટ્ટ તથા કપૂર પરિવાર ઉપરાંત લગ્નમાં અયાન મુખર્જી, ફેશન-ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરન જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરીના કૈફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા શાહરુખ ખાનને લગ્નમાં ઇન્વાઇટ કરવાની છે. આ ઉપરાંત તે અર્જુન કપૂર, ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજનને પણ બોલાવશે.એપ્રિલ એન્ડમાં રણબીર તથા આલિયા લૅવિશ રિસેપ્શન આપશે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી હાજર રહેશે. રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, શાહરુખ ખાન, અયાન મુખર્જી, અનિલ કપૂર, અર્જુન કપૂર, કરન જોહર, વિકી કૌશલ, અનુષ્કા રંજન, વરુણ ધવન, કરન જોહર, ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સને આમંત્રણ આપશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here