Saturday, June 27, 2026
HomeAhmedabadશહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલમાં વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન સમારોહ...

શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલમાં વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન સમારોહ યોજાયો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આ શિબિરના સમાપન સમારોહમાં ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી વલ્લભભાઇ રામાણી, સ્કૂલ બોર્ડના અધિકારીગણ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ, શિક્ષકો અને શિબિરાર્થી વિદ્યાર્થીઓ તેમજ ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

તા.5/5/2026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ હસ્તકની શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ ખાતે N.E.P. 2020 અંતર્ગત તા.૨૯-૦૪-૨૦૨૬ થી તા.૦૫-૦૫-૨૦૨૬ સુધી યોજાયેલ સાત દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો. આ શિબિરમાં શાળા સંકુલના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિ.ના અધ્યાપકો , ઇસરો જેવી ખ્યાતનામ સંસ્થાના પ્રતિનિધિ, બાળ મનોવિજ્ઞાન, ભાષા, વિજ્ઞાન, વ્યાયામ-યોગના જાણકાર તજજ્ઞો તથા વિવિધ સામાજીક સંસ્થાઓની મદદથી વિદ્યાર્થીઓને શુભાષિત રસપાન, વિજ્ઞાનના પ્રયોગો, નૃત્ય, વૈદિક ગણિત, ભારત કો જાનો સ્પર્ધા, ચિત્રકામ, સંગીત નાટ્ય જેવી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આજના વ્યક્તિત્વ વિકાસના સમાપન સમારંભમાં અ.મ્યુ.કો.ના ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને દીક્ષા પ્રદાન કરી અને વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે આ પ્રકારની શિબિરોથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર થશે તેમજ આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલમ્પિકની પૂર્વ તૈયારીમાં મદદરૂપ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની વ્યક્તિત્વ વિકાસની વધુને વધુ શિબિરોનું આયોજન મ્યુનિ. શાળાઓમાં થાય અને N.E.P. 2020 મુજબ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તે મુજબનું સૂચન કર્યું હતું.
કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે મેજર ઋષિકેશ રામાણી આપણા દેશના વીર શહીદ છે. જેમની યાદમાં મ્યુનિ. શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સતત 16 વર્ષથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની શિબિરો પ્રોફેશનલ મારફતે કરાવવામાં આવે તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય જે ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવે છે. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળ્યો છે જે ખૂબ જ સરાહનીય છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here