Friday, May 23, 2025
Homenationalરિઝર્વ બેન્કે બધા જ વ્યાજ દર યથાવત રાખ્યા, સતત આઠમી વખત રેપો...

રિઝર્વ બેન્કે બધા જ વ્યાજ દર યથાવત રાખ્યા, સતત આઠમી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં

Date:

spot_img

Related stories

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...
spot_img

દિલ્હી :-ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય દ્વિમાસિક બેઠક બાદ શુક્રવારે વ્યાજદરો જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સમિતિએ સતત આઠમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. આ સતત આઠમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખ્યો છે. 

આ સાથે જ રિઝર્વ બેંકે કોવિડ -19ની બીજી લહેર બાદ અર્થતંત્રમાં સુધારાના સંકેતો વચ્ચે પોતાનું નાણાકીય વલણ નરમ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે અને રિવર્સ રેપો રેટ તે દર છે કે જેના પર તે બેંકો પાસેથી ઉધાર લે છે.

ગવર્નર દાસે જણાવ્ચું કે, સમિતિએ માર્કેટ સેન્ટીમેન્ટ અને ફાઇનેન્શિયલ આઉટલુકને જોતાં સતત આઠમી વખત ઉદાર વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આર્થિક ઉત્પાદન હજુ પણ કોવિડના પહેલાંના સ્તરની નીચે છે, પરંતુ મોંઘવારીનું વલણ અપેક્ષિત કરતાં વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે વધી રહી છે. હાઇ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે બીજા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી છે.

આરબીઆઇએ આ વખતે જીડીપી વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિનું અનુમાન 9.5% જાળવી રાખવામાં આવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ છે.

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here