Monday, February 24, 2025
HomenationalWHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે

WHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

દુનિયામાં મલેરિયાની પહેલી વેક્સિન RTS,S/AS01ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મંજૂરી આપી દીધી છે. મલેરિયાના સૌથી વધુ પ્રભાવી આફ્રિકી દેશોમાં વેક્સિનની શરૂઆત થશે. ત્યાર બાદ WHOનું ફોકસ દુનિયાભરમાં મલેરિયા વેક્સિન બનાવવા માટે ફન્ડિંગ ભેગું કરવાનું હશે, જેથી એ દરેક દેશ સુધી પહોંચી શકે.ત્યાર બાદ સંબંધિત દેશોની સરકાર નક્કી કરશે કે મલેરિયાને કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં વેક્સિનને સામેલ કરે છે કે નહીં. WHOએ કહ્યું હતું કે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે.5 વર્ષ સુધીનાં બાળકોને મલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે. દર બે મિનિટે એક બાળક મલેરિયાથી મૃત્યુ પામે છે. મલેરિયાથી 2019માં વિશ્વભરમાં 4.09 મિલિયન લોકોનાં મોત નોંધાયાં હતાં, જેમાંથી 67 ટકા 5 વર્ષથી ઓછી વયનાં બાળકો હતાં. ભારતમાં 2019માં મલેરિયાના 3 લાખ 38 હજાર 494 કેસ નોંધાયા હતા અને 77 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ મલેરિયાથી મૃત્યુ થયાં છે, 2015માં 384 મૃત્યુ નોંધાયા હતા. ત્યારથી મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થયો છે.મલેરિયાની વેક્સિન RTS,S/AS01નો ઉપયોગ 2019માં ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. 23 લાખ બાળકોને આપવામાં આવેલી વેક્સિનનાં પરિણામોના આધારે WHOએ હવે આ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું ઉત્પાદન સૌપ્રથમ GSK કંપનીએ 1987માં કર્યું હતું.પાયલોટ પ્રોજેક્ટનાં પરિણામો પ્રમાણે મલેરિયાની વેક્સિન સુરક્ષિત છે અને એનાથી 30% ગંભીર કેસ રોકી શકાય છે. જે બાળકોને વેક્સિન આપવામાં આવી એમાંથી બે તૃતીયાંશ બાળકો એવાં હતાં જેમના પાસે મચ્છરદાની નહોતી. એ પણ સામે આવ્યું છે કે મલેરિયાની વેક્સિનથી બીજી વેક્સિન્સ તથા મલેરિયા રોકવાના અન્ય ઉપાયો પર કોઈ નેગેટિવ અસર નથી થતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here