Wednesday, May 14, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

અમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે સ્પાઈસજેટનું SG-85 પ્લેન ટેકઓફ કરતું હતું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક જઈ રહી હતી. આ ઘટના પછી ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મુસાફરોને પ્લેનની નીચે ઉતારાયાં હતાં. પ્લેનમાં આશરે 188 મુસાફરો હતાં. જે સહિ સલામત છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગવાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘સ્પાઈસજેટના એરક્રાફ્ટનું ટેકઓફ સમયે ટાયર ફાટ્યું હતું. આ ટાયર ફાટવાના કારણે મુસાફરોને સામાન્ય ઝટકો લાગ્યો હતો પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી.’ આ ઉપરાંત સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનાથી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરાયો છે.આ ઘટનાથી આશરે પચાસ જેટલી ફ્લાઈટ મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરનો રન-વે બંધ કરાતા બેંગલોરથી અમદાવાદ તેમજ મુંબઇથી અમદાવાદની ચાર ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.ફેબ્રુઆરીમાં પણ આ જ રીતની ઘટના બની હતી. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી આવી રહી હતી ત્યારે રનવે પર તેનું ટાયર ફાટ્યું હતું. આ ઘટનામાં પણ દરેક મુસાફરોને તાત્કાલીક રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના પાછળ હાઈડ્રોલિક ઈશ્યૂ હોવાનું સામે આવ્યું હતું.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here