Monday, September 14, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

અમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે સ્પાઈસજેટનું SG-85 પ્લેન ટેકઓફ કરતું હતું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક જઈ રહી હતી. આ ઘટના પછી ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મુસાફરોને પ્લેનની નીચે ઉતારાયાં હતાં. પ્લેનમાં આશરે 188 મુસાફરો હતાં. જે સહિ સલામત છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગવાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘સ્પાઈસજેટના એરક્રાફ્ટનું ટેકઓફ સમયે ટાયર ફાટ્યું હતું. આ ટાયર ફાટવાના કારણે મુસાફરોને સામાન્ય ઝટકો લાગ્યો હતો પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી.’ આ ઉપરાંત સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનાથી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરાયો છે.આ ઘટનાથી આશરે પચાસ જેટલી ફ્લાઈટ મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરનો રન-વે બંધ કરાતા બેંગલોરથી અમદાવાદ તેમજ મુંબઇથી અમદાવાદની ચાર ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.ફેબ્રુઆરીમાં પણ આ જ રીતની ઘટના બની હતી. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી આવી રહી હતી ત્યારે રનવે પર તેનું ટાયર ફાટ્યું હતું. આ ઘટનામાં પણ દરેક મુસાફરોને તાત્કાલીક રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના પાછળ હાઈડ્રોલિક ઈશ્યૂ હોવાનું સામે આવ્યું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here