Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

અમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે સ્પાઈસજેટનું SG-85 પ્લેન ટેકઓફ કરતું હતું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક જઈ રહી હતી. આ ઘટના પછી ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મુસાફરોને પ્લેનની નીચે ઉતારાયાં હતાં. પ્લેનમાં આશરે 188 મુસાફરો હતાં. જે સહિ સલામત છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગવાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘સ્પાઈસજેટના એરક્રાફ્ટનું ટેકઓફ સમયે ટાયર ફાટ્યું હતું. આ ટાયર ફાટવાના કારણે મુસાફરોને સામાન્ય ઝટકો લાગ્યો હતો પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી.’ આ ઉપરાંત સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનાથી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરાયો છે.આ ઘટનાથી આશરે પચાસ જેટલી ફ્લાઈટ મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરનો રન-વે બંધ કરાતા બેંગલોરથી અમદાવાદ તેમજ મુંબઇથી અમદાવાદની ચાર ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.ફેબ્રુઆરીમાં પણ આ જ રીતની ઘટના બની હતી. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી આવી રહી હતી ત્યારે રનવે પર તેનું ટાયર ફાટ્યું હતું. આ ઘટનામાં પણ દરેક મુસાફરોને તાત્કાલીક રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના પાછળ હાઈડ્રોલિક ઈશ્યૂ હોવાનું સામે આવ્યું હતું.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here