Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

અમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે સ્પાઈસજેટનું SG-85 પ્લેન ટેકઓફ કરતું હતું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક જઈ રહી હતી. આ ઘટના પછી ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મુસાફરોને પ્લેનની નીચે ઉતારાયાં હતાં. પ્લેનમાં આશરે 188 મુસાફરો હતાં. જે સહિ સલામત છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગવાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘સ્પાઈસજેટના એરક્રાફ્ટનું ટેકઓફ સમયે ટાયર ફાટ્યું હતું. આ ટાયર ફાટવાના કારણે મુસાફરોને સામાન્ય ઝટકો લાગ્યો હતો પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી.’ આ ઉપરાંત સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનાથી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરાયો છે.આ ઘટનાથી આશરે પચાસ જેટલી ફ્લાઈટ મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરનો રન-વે બંધ કરાતા બેંગલોરથી અમદાવાદ તેમજ મુંબઇથી અમદાવાદની ચાર ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.ફેબ્રુઆરીમાં પણ આ જ રીતની ઘટના બની હતી. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી આવી રહી હતી ત્યારે રનવે પર તેનું ટાયર ફાટ્યું હતું. આ ઘટનામાં પણ દરેક મુસાફરોને તાત્કાલીક રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના પાછળ હાઈડ્રોલિક ઈશ્યૂ હોવાનું સામે આવ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here