Wednesday, August 5, 2026
HomeGujaratઝીરો શેડો ડેઃ આ દિવસે અમદાવાદમાંથી ગાયબ થઈ જશે પડછાયો

ઝીરો શેડો ડેઃ આ દિવસે અમદાવાદમાંથી ગાયબ થઈ જશે પડછાયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

આગામી 10મી જૂનના રોજ અમદાવાદીઓ અદ્ભુત ખગોળિય ઘટનાના સાક્ષી બનશે જ્યારે અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક સ્થળોએથી પડછાયો ગાયબ થઈ જશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે બપોરના 12 વાગ્યે સૂર્ય માથાની એકદમ ઉપર હોય છે. પરંતુ પૃથ્વી સૂર્યની ફરતે ફરતી હોવાના કારણે કર્કવૃત અને મકરવૃત ઉપર વર્ષમાં બે વખત જૂનમાં અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જેથી પડછાયો 60 સેકન્ડ માટે ગાયબ થઈ જાય છે.અમદાવાદ સ્થિત સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલે કહ્યું કે ગુજરાતના મોટા શહેરોમાં આ ઘટના જૂન અને જુલાઈમાં બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં મે મહિનાના અંતમાં આ ઘટનાનો અનુભવ થાય છે. ધરતી પોતાની ધરી તરફ 23.5 ડિગ્રી નમેલી છે. જેથી વર્ષના જુદા જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. વધુમાં ધનંજય રાવલે કહ્યું કે આપણા આકાશ પર સૂર્ય સીધી રેખા પર નથી આવતો જેથી ભાગ્યે જ આવી ઘટનાઓ જોવા મળતી હોય છે.વધુમાં ધનંજય રાવલે કહ્યું કે, “અમુક લોકો ભાગ્યે જ જાણતા હશે છે કે આવી અદ્ભુત ખગોળિય ઘટનાનું નિરીક્ષણ કરી પૃથ્વીની ધરીનો ઝુકાવ 250BCE તરફ હોય ત્યારે ઝીરો શેડોની ઘટનાની મદદથી પ્રાચિન ઈજિપ્તવાસીઓ પૃથ્વીના વ્યાસની ગણતરી કરતા હોય છે.” પડછાયા વિહિન દિવસની ખગોળિય ઘટના નીહાળવા ખગોળપ્રેમીઓ ભારે આતુર છે.ચોખ્ખો ગ્લાસ લઈને છત કે મેદાન જેવી ખુલ્લી જગ્યાએ જાઓ અને કોઈ વસ્તુ જમીન પર મૂકીને તેનું નિરીક્ષણ કરો. કહેવાય છે કે સૂર્ય એકદમ ઉપર હોય ત્યારે પડછાયો 3ડીમાંથી 2ડીમાં ફેરવાય જાય છે. થોડા સમય માટે પડછાયો એકદમ સાંકડો થતો જશે. 60 સેકન્ડ સુધી પડછાયો ગાયબ રહેશે અને ફરી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here