Monday, September 14, 2026
HomeGujaratઝીરો શેડો ડેઃ આ દિવસે અમદાવાદમાંથી ગાયબ થઈ જશે પડછાયો

ઝીરો શેડો ડેઃ આ દિવસે અમદાવાદમાંથી ગાયબ થઈ જશે પડછાયો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આગામી 10મી જૂનના રોજ અમદાવાદીઓ અદ્ભુત ખગોળિય ઘટનાના સાક્ષી બનશે જ્યારે અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક સ્થળોએથી પડછાયો ગાયબ થઈ જશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે બપોરના 12 વાગ્યે સૂર્ય માથાની એકદમ ઉપર હોય છે. પરંતુ પૃથ્વી સૂર્યની ફરતે ફરતી હોવાના કારણે કર્કવૃત અને મકરવૃત ઉપર વર્ષમાં બે વખત જૂનમાં અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જેથી પડછાયો 60 સેકન્ડ માટે ગાયબ થઈ જાય છે.અમદાવાદ સ્થિત સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલે કહ્યું કે ગુજરાતના મોટા શહેરોમાં આ ઘટના જૂન અને જુલાઈમાં બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં મે મહિનાના અંતમાં આ ઘટનાનો અનુભવ થાય છે. ધરતી પોતાની ધરી તરફ 23.5 ડિગ્રી નમેલી છે. જેથી વર્ષના જુદા જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. વધુમાં ધનંજય રાવલે કહ્યું કે આપણા આકાશ પર સૂર્ય સીધી રેખા પર નથી આવતો જેથી ભાગ્યે જ આવી ઘટનાઓ જોવા મળતી હોય છે.વધુમાં ધનંજય રાવલે કહ્યું કે, “અમુક લોકો ભાગ્યે જ જાણતા હશે છે કે આવી અદ્ભુત ખગોળિય ઘટનાનું નિરીક્ષણ કરી પૃથ્વીની ધરીનો ઝુકાવ 250BCE તરફ હોય ત્યારે ઝીરો શેડોની ઘટનાની મદદથી પ્રાચિન ઈજિપ્તવાસીઓ પૃથ્વીના વ્યાસની ગણતરી કરતા હોય છે.” પડછાયા વિહિન દિવસની ખગોળિય ઘટના નીહાળવા ખગોળપ્રેમીઓ ભારે આતુર છે.ચોખ્ખો ગ્લાસ લઈને છત કે મેદાન જેવી ખુલ્લી જગ્યાએ જાઓ અને કોઈ વસ્તુ જમીન પર મૂકીને તેનું નિરીક્ષણ કરો. કહેવાય છે કે સૂર્ય એકદમ ઉપર હોય ત્યારે પડછાયો 3ડીમાંથી 2ડીમાં ફેરવાય જાય છે. થોડા સમય માટે પડછાયો એકદમ સાંકડો થતો જશે. 60 સેકન્ડ સુધી પડછાયો ગાયબ રહેશે અને ફરી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here