ઉ.કોરિયાએ કર્યું બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ, જાપાનમાં ખળભળાટ, લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા નિર્દેશ

0
0

સૈન્ય જાસૂસ ઉપગ્રહની પુષ્ટિ કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આજે સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. 

જાપાનના પીએમઓએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી છે

જોકે, દક્ષિણ કોરિયાના સૈન્યના નિવેદન બાદ બુધવારે સવારે જાપાને ઓકિનાવા વિસ્તાર માટે તેની મિસાઈલ ચેતવણી પ્રણાલી સક્રિય કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિસાઈલ પ્રક્ષેપણ અંગે પીએમઓએ કહ્યું કે એવું લાગે છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ લોન્ચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને, લોકો ઇમારતો અથવા ભૂગર્ભ સ્થળોએ આશ્રય લઈ લે. જોકે, લગભગ 30 મિનિટ પછી, સરકારે ટ્વિટ કર્યું કે ચેતવણી રદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે આ મિસાઈલ જાપાની ક્ષેત્ર તરફ નહીં આવે.

અગાઉ પણ અનેકવાર જાપાન એલર્ટ જાહેર કરી ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે જાપાને ઉત્તર કોરિયાના પ્રક્ષેપણના જવાબમાં અગાઉના કેટલાય પ્રસંગોએ પોતાની મિસાઈલ અર્લી વોર્નિંગ એલાર્મને એલર્ટ કર્યું છે. જો કે, આ ચેતવણીઓ સામાન્ય રીતે ઝડપથી પાછી ખેંચી લેવામાં આવે છે.