Sunday, June 28, 2026
Homenationalકર્ણાટકમાં ટીપુ જ્યંતિ નહીં મનાવવા સરકારનો નિર્ણય

કર્ણાટકમાં ટીપુ જ્યંતિ નહીં મનાવવા સરકારનો નિર્ણય

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભાજપ સરકારના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા જારદાર વિરોધ કરાયો ઃ લઘુમતિઓની વિરુદ્ધમાં ભાજપ છે : સિદ્ધરમૈયા

નવી દિલ્હી, તા. ૩૦
કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપુ સુલ્તાનની જન્મજ્યંતિ ન મનાવવાનો નિર્ણય કર્યો છે. ટીપુ સુલ્તાનની જ્યંતિ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આ અંગેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. પ્રદેશમાં ૨૦૧૫માં સિદ્ધારમૈયા સરકારે ભાજપના વિરોધ બાદ પણ ટીપુ સુલ્તાન કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ટીપુ સુલ્તાન સાથે સંબંધિત કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. હવે રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ટીપુ સુલ્તાન જ્યંતિ મનાવવાની કોઇ પરંપરા રહી નથી જેથી હવે આ કાર્યક્રમ ઉજવવામાં આવશે નહીં. બીજી બાજુ સિદ્ધારમૈયાએ ભાજપ સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. કડગુના ધારાસભ્ય જી બોપૈયા મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે, ટીપુ સુલ્તાન જ્યંતિ કોઇ કિંમતે ઉજવવી જાઇએ નહીં. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, કડગુના સ્થાનિક નિવાસી ટીપુ જ્યંતિનો વિરોધ કરવો જાઇએ. કડગુના લોકોએ પણ ટીપુ સુલ્તાનની જ્યંતિ નહી મનાવવા રજૂઆત કરી હતી. કડગુના લોકોની સામે ટીપુ સુલ્તાને કોઇપણ કારણવગર યુદ્ધ છેડી દીધું હતું જેમાં મોટી સંખ્યામાં કડગુ લોકોના મોત થયા હતા. કોંગ્રેસે ભાજપ સરકારના નિર્ણયને ભગવાકરણની રાજનીતિ કરવાનો આરોપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, તેઓ પોતાના સ્તર પર ટીપુ જ્યંતિ મનાવતા રહેશે. ટીપુ સુલ્તાન દેશના સાચા સપૂત હતા. તેઓએ અંગ્રેજાની સામે સંઘર્ષ કર્યું હતું. સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, અમે હંમેશા ટીપુ સુલ્તાન જ્યંતિ મનાવતા રહીશું. ભાજપ હંમેશા લઘુમતિ લોકોની સામે રહી છે. અમે સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના શાસનકાળમાં ૨૦૧૫માં ટીપુ જ્યંતિ મનાવવાની શરૂઆત કરાઈ હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here