Sunday, March 16, 2025
HomeGujaratAhmedabadકોરોનામાં ગુજરાતનાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યાં

કોરોનામાં ગુજરાતનાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યાં

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img

કોરોના સંક્રમણના કારણે ગુજરાતનાં 604 જેટલાં બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. યુવાનોના એક સંગઠને કરેલા સરવેમાં આ વાત બહાર આવી છે. ગુજરાતમાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા છે, જ્યારે 501 બાળકે માતા કે પિતાને ગુમાવી દીધા છે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિમાં વિશ્વાસ નહીં રાખતા આ યુવાનોના જૂથે હવે આ પ્રકારના બાળકોનો જીવનનિર્વાહ યોગ્ય રીતે થાય તેના માટે તૈયારી શરૂ કરી છે.આ જૂથના એક યુવક કહે છે કે, અમારી સામે જે માહિતી આવી છે, તેના કરતા વધુ બાળકો નિરાધાર થઈ ગયા હોઈ શકે છે. આ સરવે હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી માહિતી ભેગી કરાઈ છે. જેમ કે, અમદાવાદમાં સૌથી વધુ 235 બાળકે માતા-પિતા કે બેમાંથી એકને ગુમાવ્યા છે. એવી જ રીતે, રાજકોટમાં 46, બનાસકાંઠામાં 30, ગાંધીનગરમાં 29 અને સુરતમાં 27 બાળક આવા છે. જોકે, અમે હજુ આવા બાળકોની ચોક્કસ માહિતી મેળવવા પ્રયત્નશીલ છીએ.​​​​​​​ચાલુ વર્ષે શાળાઓમાં ફીનો મુદ્દો વધુ વેગ પકડે એ પહેલાં જ અમદાવાદના ખાનગી શાળા-સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમણે કોરોનાકાળમાં પોતાનાં માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે, સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે એ પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here