Saturday, June 14, 2025
HomeIndiaપોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે...

પોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!

Date:

spot_img

Related stories

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...
spot_img

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ એક એવી યોજના છે, જે 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે અને તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે. આવો આજે આ યોજના વિશે વિસ્તૃતમાં જાણીએ.21 ઓગસ્ટ, 2024 ના રોજ કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના ત્રણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના નિયમોમાં પણ ફેરફાર થશે. આ ગાઈડલાઈનમાં સગીરથી લઈને NRI સુધીના ત્રણ અલગ-અલગ કેસોના અનિયમિત ખાતાઓને નિયમિત કરવા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

પહેલો નિયમ- સગીરના નામે ખોલવામાં આવેલું PPF ખાતું :

આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)પર ત્યા સુધી વ્યાજ ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય ન બને. એટલે કે, જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય, ત્યાર બાદ પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થઈ જાય છે. એટલે કે, એ તારીખથી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય થઈ જાય છે.

બીજો નિયમ – એક કરતા વધુ પીપીએફ એકાઉન્ટ :

પ્રાયમેરી એકાઉન્ટ પર યોજના પ્રમાણે જ વ્યાજ મળશે, પરંતુ જમા રકમ દર વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય. બીજા એકાઉન્ટમાં બાકીની રકમ પહેલા ખાતામાં જમા કરી દેવામાં આવશે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી 0 (ઝીરો)ટકા વ્યાજ મળશે. એટલે કે, જો એક કરતા વધુ ખાતા ખોલવામાં આવે તો પણ પીપીએફ યોજના હેઠળ વ્યાજ માત્ર એક ખાતા પર જ મળશે.

ત્રીજો ફેરફાર- NRI દ્વારા PPF ખાતાનું વિસ્તરણ :

માત્ર PPF, 1968 હેઠળ ખોલવામાં આવેલા એક્ટિવ NRI PPF ખાતા કે જ્યાં ખાતાધારકની રહેણાંક સ્થિતિ ફોર્મ H માં ખાસ પૂછવામાં આવતી નથી. એકાઉન્ટ હોલ્ડર્સ (ભારતીય નાગરિકો કે જેઓ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન NRI બન્યા છે) ને POSA દરે 30 સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજ આપવામાં આવશે. ત્યાર બાદ 1 ઓક્ટોબરથી આ ખાતાઓ પર 0 (શૂન્ય) વ્યાજ દર લાગુ થશે.

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here