Saturday, July 25, 2026
HomeIndiaપોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે...

પોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ એક એવી યોજના છે, જે 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે અને તમને લાંબા ગાળે કરોડપતિ બનાવી શકે. આવો આજે આ યોજના વિશે વિસ્તૃતમાં જાણીએ.21 ઓગસ્ટ, 2024 ના રોજ કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ PPFના ત્રણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના નિયમોમાં પણ ફેરફાર થશે. આ ગાઈડલાઈનમાં સગીરથી લઈને NRI સુધીના ત્રણ અલગ-અલગ કેસોના અનિયમિત ખાતાઓને નિયમિત કરવા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

પહેલો નિયમ- સગીરના નામે ખોલવામાં આવેલું PPF ખાતું :

આવા અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)પર ત્યા સુધી વ્યાજ ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય ન બને. એટલે કે, જ્યાં સુધી વ્યક્તિ 18 વર્ષની ન થાય, ત્યાર બાદ પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થઈ જાય છે. એટલે કે, એ તારીખથી વ્યક્તિ ખાતું ખોલવા માટે યોગ્ય થઈ જાય છે.

બીજો નિયમ – એક કરતા વધુ પીપીએફ એકાઉન્ટ :

પ્રાયમેરી એકાઉન્ટ પર યોજના પ્રમાણે જ વ્યાજ મળશે, પરંતુ જમા રકમ દર વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય. બીજા એકાઉન્ટમાં બાકીની રકમ પહેલા ખાતામાં જમા કરી દેવામાં આવશે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર ખાતું ખોલવાની તારીખથી 0 (ઝીરો)ટકા વ્યાજ મળશે. એટલે કે, જો એક કરતા વધુ ખાતા ખોલવામાં આવે તો પણ પીપીએફ યોજના હેઠળ વ્યાજ માત્ર એક ખાતા પર જ મળશે.

ત્રીજો ફેરફાર- NRI દ્વારા PPF ખાતાનું વિસ્તરણ :

માત્ર PPF, 1968 હેઠળ ખોલવામાં આવેલા એક્ટિવ NRI PPF ખાતા કે જ્યાં ખાતાધારકની રહેણાંક સ્થિતિ ફોર્મ H માં ખાસ પૂછવામાં આવતી નથી. એકાઉન્ટ હોલ્ડર્સ (ભારતીય નાગરિકો કે જેઓ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન NRI બન્યા છે) ને POSA દરે 30 સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજ આપવામાં આવશે. ત્યાર બાદ 1 ઓક્ટોબરથી આ ખાતાઓ પર 0 (શૂન્ય) વ્યાજ દર લાગુ થશે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here