Sunday, June 28, 2026
HomeWorldભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

ભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભારતીય અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિની નિકાસ પરિષદના સભ્યો બનશે

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે

અમેરિકામાં ટોચના હોદ્દાઓ પર અને મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે.  આ દરમિયાન બે ભારતીય મૂળના અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિકાસ પરિષદના સભ્યો બનશે. વ્હાઈટ હાઉસે આ અંગે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ એ સભ્યોની યાદી જાહેર કરી હતી જેમને તે નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. 

નિકાસ પરિષદ શું કરે છે? 

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. ભારતીય અમેરિકી પુનીત રેનજેન જેમનું નામ એ સભ્યોની યાદીમાં સામેલ કરાયું છે જેમને રાષ્ટ્રપતિ નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. તે ડેલોઈટ ગ્લોબલ સીઈઓ એમિરેટ્સ તરીકે કામ કરે છે. 

રેનજેન અને રાજસુબ્રમણ્યમ કોણ છે? 

રેનજેનએ સીઈઓ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન એક વૈશ્વિક રણનીતિ બનાવી અને તેનું અમલ કરાવ્યું જેના પરિણામસ્વરૂપે ડેલોઈટ દુનિયામાં અગ્રણી પ્રોફેશનલ સેવા સંગઠન બની ગયું અને તેને સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન વાણિજ્યક સેવા બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવ્યું. જ્યારે બાઈડેનની યાદીમાં એક અન્ય ભારતીય અમેરિકી રાજસુબ્રમણ્યમ સામેલ છે જે દુનિયાની સૌથી મોટી પરિવહન કંપનીઓમાંથી એક ફેડએક્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને સીઈઓ તથા ડિરેક્ટર બોર્ડના સભ્ય છે. ૨૦૨૩માં જ સુબ્રમણ્યમને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને વિદેશોમાં ઉત્કૃષ્ટ સિદ્ધીઓની ઓળખ માટે ભારતીય પ્રવાસીઓને અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here