Saturday, September 5, 2026
HomeWorldયુ.એસ.માં સૌથી ઊંચી ત્રીજી હનુમાન ભગવાનની 90 ફીટની મૂર્તિ હશે

યુ.એસ.માં સૌથી ઊંચી ત્રીજી હનુમાન ભગવાનની 90 ફીટની મૂર્તિ હશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

હાઉસ્ટન (ટેક્ષાસ) : તાજેતરમાં ભગવાન હનુમાનજીની ૯૦ ફીટની વિશાળ મૂર્તિનું હાઉસ્ટનમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમાં પ્રાણ- પ્રતિષ્ઠા કરવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ મૂર્તિને મિલનની મૂર્તિ તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન હનુમાનજીએ ભગવાન શ્રી રામનું સીતા-માતા સાથે પુનર્મિલન કરાવ્યું હતું. તેથી તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન પણ કહેવામાં આવે છે.ટેકસાસનાં સ્યુગર લેન્ડ સ્થિત અષ્ટ-લક્ષ્મી મંદિર પાસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અષ્ટલક્ષ્મી – મંદિર પાસે આ મૂર્તિ રચવાનું કારણ તે છે કે ભગવાન શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જ્યારે સીતા માતાને લક્ષ્મી માતાનો અવતાર માનવામાં આવે છે.આ મૂર્તિ રચવાની પ્રેરણા આધ્યાત્મિક ગુરૂ સ્વામી ચિન્નાજીયારે આપી હતી. તેઓએ ભારતમાં હૈદરાબાદમાં પણ સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી રચવાની પ્રેરણા આપી હતી.આ અંગેની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે, તે મૂર્તિ અંગે વિશ્વભરના લોકોને રસ જન્મશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિયનની વેબસાઇટ જય શ્રીરામ, જય હનુમાન અને જય શ્રી મન્નારાયણના લખાણ સાથે શરૂ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ મૂર્તિ એક આધ્યાત્મિક કેન્દ્ર સમાન બની રહેશે. તે હૃદયને શાતા આપે છે, માનસિક શાંતિ આપે છે અને આત્માનું ઉન્નયન કરે છે અને માનવીને મોક્ષ તરફ લઈ જાય છે. આવી મૂર્તિઓ માનવીને યોગ્ય જીવન તરફ લઈ જાય છે અને વિશ્વને પ્રેમ, શાંતિ અને સમર્પણ તરફ દોરી જાય છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here