Saturday, August 15, 2026
HomeWorldરશિયાનો યુક્રેન પર મિસાઇલ હુમલો : છના મોત, 10 ઘાયલ

રશિયાનો યુક્રેન પર મિસાઇલ હુમલો : છના મોત, 10 ઘાયલ

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરરોજ તોપમારો, ગોળીબાર થતા રહે છે. એવામાં પૂર્વ યુક્રેનના કોસ્તિયાનતિનિવકામાં રશિયા દ્વારા તોપમારો કરવામાં આવ્યો હતો જેમાં છ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૦ જેટલા લોકો ઘવાયા હતા. 

યુક્રેનના કોસ્ત્યાંનિવિકા શહેર પર રશિયા છેલ્લા આઠ મહિનાથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ હજુસુધી સફળ નથી થઇ શક્યું. તાજેતરમાં ફરી રશિયાએ આ શહેરને નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા છે, જેનો ઉદ્દેશ્ય શહેર પર કબજો કરવાનો હોવાનું યુક્રેનના નિષ્ણાતોએ જણાવ્યું હતું. રશિયાએ આ શહેર પર હાલમાં કરેલા વધુ એક હુમલામાં છ લોકો માર્યા ગયા છે. સાથે જ ૧૬ એપાર્ટમેંટ, આઠ ઘર અને એક સરકારી ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે.  યુક્રેને જણાવ્યું હતું કે રશિયાએ આમ નાગરિકોના રહેણાંકી વિસ્તારોને નિશાન બનાવીને મિસાઇલો, રોકેટમારો કર્યો હતો. જેમાં એક નર્સરી સ્કૂલને પણ તોડી પાડવામાં આવી છે. આ હુમલા માટે રશિયાએ એસ-૩૦૦ મિસાઇલ અને યુરાગન રોકેટનો ઉપયોગ કર્યો હતો. રશિયા ડોનેટસ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક જ પહોંચી ગયુ છે. હાલ જે શહેર પર હુમલો કર્યો તેના પર કબજો જમાવતાની સાથે જ આ આખો પ્રાંત રશિયાના હાથમાં આવી જશે. બીજી તરફ રશિયાએ હથિયારોનું ઉત્પાદન પણ ઝડપી બનાવી દીધુ છે. 

કેમ કે અનેક હથિયારો આ યુદ્ધમા વપરાઇ ગયા હોવાથી હાલ અછત જેવી સ્થિતિ છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here