રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

0
32

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બૅન્ગકૉક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સમાચાર પછી કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલાં પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી બૅન્ગકૉકમાં હોવાના સમાચાર ખૂબ વાઇરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી બૅન્ગકૉક શા માટે ગયા છે.
આ સમાચાર વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે. કૉન્ગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કૉન્ગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી બંને રાજ્યમાં રૅલીઓને સંબોધશે તેમ જ રોડ શૉ પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૦થી ૧૯મી ઑક્ટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમ્યાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જ્યાં ગત ચૂંટણીમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કૉન્ગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.