Friday, June 5, 2026
HomeWorldવડાપ્રધાન મોદીએ યુદ્ધ બંધ કરવા નેતાન્યાહૂને અનુરોધ કર્યો

વડાપ્રધાન મોદીએ યુદ્ધ બંધ કરવા નેતાન્યાહૂને અનુરોધ કર્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (તા. ૧૬ ઓગસ્ટે) ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, ૧૫મી ઓગસ્ટે પાઠવેલા શુભેચ્છા સંદેશ અંગે આભાર માનવા સાથે તેઓનો યુદ્ધમાં મદ્યાંતર રાખી છેવટે યુદ્ધ બંધ કરવા અનુરોધ કર્યો હતો.આ માહિતી આપતાં વડાપ્રધાનનાં કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને બંધકોને છોડાવવાના પ્રયત્નો ચાલુ રાખવાં સાથે પરિસ્થિતિને થાળે પાડવા નેતન્યાહૂને ભારપૂર્વક કહ્યું હતું.વાસ્તવમાં, હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહની તહેરાનમાં થયેલી હત્યા માટે ઇરાને ઇઝરાયેલને જ જવાબદાર ગણી કહ્યું હતું કે યોગ્ય સમય અને સ્થળે તે આ હત્યાનો બરોબરનો જવાબ આપશે.સહજ છે કે આ સાથે મધ્યપૂર્વમાં વ્યાપક યુદ્ધની સ્થિતિ ઉપસ્થિત થાય જ. તેમાં ઇઝારયલથી ઉત્તરમાં ઇરાનનાં પીઠબળવાળાં હીઝબુલ્લાહ દક્ષિણ લેબેનોનમાંથી હુમલા કરી રહ્યા છે. હમાસે પણ ઇઝરાયલનાં પાટનગર તેલ અવિવ ઉપર રોકેટ અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલી સૈન્યની ટુકડીઓ ઉપર હમાસ એમ-૯૦ પ્રકારનાં રોકેટ હુમલા કરી રહ્યા છે. તેમણે તેલ અવીવ ઉપર પણ એમ-૯૦ રોકેટસ છોડયાં હતાં પરંતુ તે અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યાં. માત્ર બે વાર રોકેટસ તેલ અવિવના બાહ્ય વિસ્તારો પર પડયાં.આમ આ યુદ્ધનો કોઈ અંત અત્યારે દેખાતો નથી. ઇઝરાયલને તો અમેરિકા અને યુરોપના દેશો સ્ટીમરો ભરીને શસ્ત્રો આપે છે. ઇઝરાયલે વળતા પ્રહારોમાં કશું બાકી નથી રાખ્યું તે સંયોગોમાં મધ્યપૂર્વના પ્રદેશમાં ક્યારે દાવાનળ ફાટી નીકળે તે કહેવાય તેમ નથી. તેવે સમયે મોદીનો શાંતિનો સંદેશો ઉલ્લેખનીય બની રહ્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here