Monday, June 29, 2026
HomeBusinessવર્તમાન વર્ષમાં ભારતમાં ચાંદીની આયાત લગભગ બમણી થવાની વકી

વર્તમાન વર્ષમાં ભારતમાં ચાંદીની આયાત લગભગ બમણી થવાની વકી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મુંબઈ : સોલાર પેનલ તથા ઈલેકટ્રોનિકસ ઉત્પાદકો તરફથી વધી રહેલી માગને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં ભારતની ચાંદીની આયાત લગભગ બમણી થવાના માર્ગે છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળી રહેવાની પણ ટ્રેડરો ગણતરી મૂકી રહ્યા હોવાનું કેટલાક આયાતકારો માની રહ્યા છે.ગયા વર્ષે ભારતે ૩૬૨૫ ટન્સ ચાંદી આયાત કરી હતી જે વર્તમાન વર્ષમાં વધી ૭૦૦૦ ટન્સ આસપાસ રહેવા ધારણાં છે એમ એક આયાતકાર કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ચાંદીની આયાત ૪૫૫૪ ટન્સ રહી હતી જે ૨૦૨૩ના આ ગાળામાં ૫૬૦ ટન્સ રહી હતી એમ વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. ચાંદી પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરાતા માગને ટેકો મળી રહ્યો છે. દેશમાં આમપણ ચાંદીની ઈન્વેસ્ટમેન્ટસ સાથોસાથ પરંપરાગત માગ રહે છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં ચાંદી પરની આયાત ડયૂટી પંદર ટકા પરથી ઘટાડી ૬ ટકા કરાઈ છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળવાની ધારણાંએ પણ રોકાણકારો દ્વારા ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક આયાતકારે જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં ચાંદી પર અત્યારસુધીમાં ૧૪ ટકા અને સોનામાં ૧૩ ટકા વળતર છૂટી રહ્યું છે.વિશ્વમાં ભારત ચાંદીનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઘરઆંગણે વધેલી માગને પરિણામે વિશ્વ સ્તરે ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે. વર્તમાન વર્ષમાં ચાંદીની થયેલી કુલ આયાતમાંથી પચાસ ટકા કરતા વધુ આયાત એકલા યુએઈ ખાતેથી થઈ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here