Friday, August 14, 2026
HomeWorldUSની ચિંતા વધી! ઉત્તર કોરિયાએ હવે પાણીની અંદરથી હુમલો કરી શકે તેવા...

USની ચિંતા વધી! ઉત્તર કોરિયાએ હવે પાણીની અંદરથી હુમલો કરી શકે તેવા પરમાણુ ડ્રોનનું કર્યું પરીક્ષણ

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું

ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી

આકાશમાં એક પછી એક મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાની ઊંઘ હરામ કરનારા ઉત્તર કોરિયાએ હવે અંડરવોટર એટેક કરી શકે તેવા ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. આ નવું પરમાણુ પરીક્ષણ સરમુખત્યાર કિમ જોંગ ઉનના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. ત્યાંની સ્થાનિક સમાચાર એજન્સીએ મંગળવારથી ગુરુવાર દરમિયાન હાથ ધરાયેલા આ હથિયારોના પરીક્ષણ અને ફાયરિંગ ડ્રિલ દરમિયાન ક્રૂઝ મિસાઇલ ઝિંકાયાની પુષ્ટિ કરી હતી

ડ્રોન 59 કલાક પાણીની અંદર રહ્યું હતું 

ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું અને ગુરુવારે તેના પૂર્વ કિનારે પાણીમાં વિસ્ફોટ કર્યો હતો. જો કે, તેમણે ડ્રોનની પરમાણુ ક્ષમતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે ડ્રોન સિસ્ટમનો હેતુ દુશ્મનના જળક્ષેત્રમાં ચોરીછૂપે હુમલો કરવાનો અને નૌકાદળના સ્ટ્રાઈકર જૂથો અને મુખ્ય ઓપરેશનલ બંદરોને નષ્ટ કરવાનો છે.

ચાર ક્રુઝ મિસાઈલ પણ છોડવામાં આવી હતી

આ અંડરવોટર ન્યુક્લિયર એટેક કરી શકે તેવા ડ્રોનને કોઈપણ દરિયાકાંઠે અને બંદર પર તહેનાત કરી શકાય છે અથવા ઓપરેશન માટે કોઈપણ સપાટી પરથી જહાજ દ્વારા ખેંચી શકાય છે. એક અલગ ફાયરિંગ કવાયતમાં ઉત્તર કોરિયાએ પણ પુષ્ટિ કરી હતી કે તેણે વ્યૂહાત્મક પરમાણુ સ્ટ્રાઈક મિશન હાથ ધરવા બુધવારે ચાર ક્રુઝ મિસાઇલો છોડી હતી. 

1,500 થી 1,800 કિલોમીટરનું અંતર કાપ્યું 

ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી હતી. દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ બુધવારે તેના પૂર્વ કિનારે ચાર ક્રૂઝ મિસાઇલો છોડી હતી. જો કે, ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે નવીનતમ હથિયારોના પરીક્ષણથી પડોશી દેશોની સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર થઈ નથી.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here