તા.૧૦ નવેમ્બરથી શરૂ થશે હજીરાથી મુંબઈ વચ્ચે લક્ઝરી ક્રૂઝ

0
35

જ્ય સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને આપવામાં આવેલી પરવાનગીને પગલે 10મી નવેમ્બરથી સુરત થી મુંબઈ(બ્રાંદ્રા-વર્લી સી લીંક) સુધીની ક્રૂઝ સેવા માણવા મળશે.

સુરતમાં આ ફેરીના ઓપરેટર અને એસએસઆર મરીન સર્વિસિઝના સીઇઓ સંજીવ અગ્રવાલના જણાવ્યાનુસાર હતું કે, આ બંને શહેરો વચ્ચે મુંબઈ મેઈડન નામની વૈભવશાળી ક્રૂઝ સેવાનું શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લીંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે ૯ વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ શુક્રવારે સાંજે 5 વાગ્યે જવા નીકળશે અને શનિવારે સવારે ૯ વાગ્યે પહોંચાડશે. હાલ ૩૦૦ વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું ૩ થી ૫ હજારની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે.