
7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ (એસઆઈસી) ની 2026 આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેમસંગ નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ છે, જે યુવાનોને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ક્ષેત્રમાં ઉદ્યોગને અનુરૂપ કૌશલ્યોથી સજ્જ કરવા માટે સમર્પિત છે.
“એઆઈ આપણા સમયની સૌથી મોટી તકોમાંથી એક છે અને ભારત તેની યુવા પ્રતિભાની શક્તિના બળ પર આ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે અનોખી સ્થિતિમાં છે. આ તકને સાકાર કરવા માટે યોગ્ય કૌશલ્યોના વિકાસમાં સતત રોકાણ, નવીનતાને પ્રોત્સાહન અને એઆઈ શિક્ષણને દરેક ઉત્સુક શીખનાર માટે, તેઓ કોઈપણ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય, વધુ સુલભ બનાવવું જરૂરી છે. સેમસંગમાં અમે માનીએ છીએ કે ટેક્નોલોજી ત્યારે જ સૌથી વધુ અસરકારક બને છે જ્યારે તે લોકોને સશક્ત બનાવે છે. એસઆઈસી દ્વારા અમે આગામી પેઢીની એઆઈ પ્રતિભામાં રોકાણ કરી રહ્યા છીએ, જેથી ભારતના યુવાનોને દેશની નવીનતા યાત્રામાં યોગદાન આપવા માટે જરૂરી જ્ઞાન, આત્મવિશ્વાસ અને વ્યવહારુ અનુભવ મળી રહે. ભારતમાં અમારા 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભવિષ્યને આકાર આપનાર પ્રતિભાને વિકસાવીને ભારતને વૈશ્વિક એઆઈ નેતા બનાવવાના દેશના વિઝનને સમર્થન આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ,” એમ સેમસંગ સાઉથ વેસ્ટ એશિયાના પ્રમુખ અને સીઇઓ જે બી પાર્કે જણાવ્યું.
2026ની આવૃત્તિ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ઇએસએસસીઆઈ) અને ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (ટીએસએસસી)ના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. આ સહયોગો દ્વારા સેમસંગ નો હેતુ 10 રાજ્યોમાં 20,000 યુવાનોને એઆઈ ની તાલીમ આપવાનો છે. આ પહેલ ઉદ્યોગને અનુરૂપ એઆઈ શિક્ષણની પહોંચને વિસ્તૃત કરશે અને ભારતની ભાવિ એઆઈ પ્રતિભા પાઇપલાઇનને મજબૂત બનાવવામાં મદદ કરશે.
એઆઈ વિશ્વના કાર્ય કરવાની રીતમાં પરિવર્તન લાવી રહ્યું છે—આરોગ્યસંભાળ અને ઉત્પાદનથી લઈને શિક્ષણ અને દૈનિક સેવાઓ સુધી. ભારત તેની એઆઈ મહત્ત્વાકાંક્ષાઓને ઝડપી ગતિ આપી રહ્યું છે ત્યારે, વધુ લોકોને AIની શક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવા અને નવીનતાને આગળ વધારવા માટે કુશળ કાર્યબળનું નિર્માણ આવશ્યક બનશે.
ભારતમાં હવે તેના ચોથા વર્ષમાં પ્રવેશેલા SIC દ્વારા 18–25 વર્ષની વયના યુવાનોને પ્રાયોગિક એઆઈ તાલીમ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, માર્ગદર્શન અને વાસ્તવિક દુનિયાના ઉપયોગોનો અનુભવ આપવામાં આવશે. આ તેમને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ટેક્નોલોજી ક્ષેત્રોમાંના એકમાં કારકિર્દી માટે તૈયાર કરશે.
