Wednesday, September 9, 2026
Homewriter's thoughtજીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ દર્શન વગર જેનાથી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ દર્શન વગર જેનાથી મુક્તિ શક્ય નથી.

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- માનસ કબંધ (ભાગ ૮)

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ દર્શન વગર જેનાથી મુક્તિ શક્ય નથી.

માનસ કબંધનાં આઠમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, માનસ કબંધની સાત્વિક તાત્વિક ચર્ચા થઈ રહી છે, એમાં થોડાં આગળ વધીએ. આપણે યાત્રા કરીને ક્યાંક જઈ રહ્યા હોઈએ, અને આ યાત્રામાં કોઈ આડ બનીને આવી જાય, અથવા તો અવરોધ આવે તો એ અવરોધોનું વૈચારિક નામ કબંધ છે, એ વૃત્તિનું નામ કબંધ છે, અને એટલે જ તુલસીદાસજી કહે છે “આવત પંથ કબંધ નિપાતા”

ભગવાન રામની સીતા શોધની, યાત્રામાં બાધા બની કબંધ આવ્યો, જેવી રીતે રામ લક્ષ્મણની વિશ્વામિત્ર સાથેની યાત્રામાં વચ્ચે તાડકા આવી હતી. પરંતુ રામ અને લક્ષ્મણ હતાં, એટલાં માટે એ બંનેએ બાધાઓને નષ્ટ કરી દીધી, અને ભગવાન અવરોધ પાર કરી ગયાં. રામ એટલે સત્ય અને સત્ય એટલે બ્રહ્મ, લક્ષ્મણ એટલે જાગૃતિ અથવા સાવધાની! એટલે કબંધ વૃત્તિને દૂર કરવા માટે સત્યવ્રતી માણસ, અથવા તો કોઈ જાગૃત માણસ હોય તો યાત્રાનું વિધ્ન દૂર થાય, પરંતુ આપણા જેવા લોકોની યાત્રા કબંધ રોકી લે છે. પરંતુ રામ તો બ્રહ્મ! અને બ્રહ્મને તો કોઈ બાધા નડી શકે નહીં, અથવા તો બાધા હોતી નથી, આપણા જેવાં જીવની યાત્રા કબંધ રોકી લે છે. પરંતુ જીવ જો બ્રહ્મની પાછળ પાછળ ચાલે તો એ, રસ્તાનાં કબંધ રુપી‌ અવરોધ પાર કરી જશે! આપણે જીવ‌ છીએ એટલે ચોવીસ કલાક જાગૃત રહી શકતાં નથી, પણ જેટલી ઘડી જાગૃત રહી શકીએ એ ઘડીનો ઉત્સવ મનાવી લેવો, જેમ કે આ નવ દિવસ સુધી આપણે સૌ કબંધ વૃત્તિથી દૂર રહ્યાં. જેટલો વખત મનમાંથી કામના દૂર થાય, એટલો વખત આપણે સ્થિતપ્રજ્ઞ છીએ! જે ક્ષણ કોઈ સાધુ સાથે વિતી શકે એ ધન્ય છે! પછી કોઈ કામના આવે તો આવે, પરંતુ આત્મા આત્મામાં સંતુષ્ઠ થઈ જાય સ્થિર થઈ જાય, એનું નામ સ્થિતપ્રજ્ઞ છે! રામકથા સાંભળતા સાંભળતા, રામનામ લેતા લેતા, રામનામ જપતા જપતા, એની પાછળ જેટલી ક્ષણો આપણે ચાલી શકીએ, એટલી ક્ષણ કબંધ આપણી બાધા નથી બની શકતો, આપણે એનાથી મુક્ત રહી શકીએ છીએ. રામ તો મુક્ત છે જ, પરંતુ આપણી જીવનયાત્રાની બાધક વૃત્તિનું નામ કબંંધ છે.

દક્ષય યજ્ઞનાં પ્રસંગમાં બે પક્ષ છે સતી બળી ગયાં શિવનું અપમાન થયું, અને પછી યજ્ઞનો વિધ્વંશ થઈ ગયો, મહાદેવ કોપ કરીને વીરભદ્રને મોકલ્યો, તો એક પક્ષમાં યજ્ઞ અધૂરો રહી ગયો એવી વાત છે. બીજો પક્ષ યજ્ઞનો વિધવંશ થયો ન્હતો, દક્ષનું મસ્તક કાપીને યજ્ઞમાં હોમી દેવામાં આવ્યું હતું, એટલે કે છેલ્લે જ્યારે બલિદાનનું શ્રીફળ યજ્ઞમાં હોમી દેવામાં આવે છે, એ રીતે યજ્ઞમાં દક્ષનું મસ્તક નાખી દીધું હતું, એટલે કે યજ્ઞ એ રીતે પૂરો થયો. ગોસ્વામીજી દક્ષને વિચારનું પ્રતીક કહે છે. બુદ્ધિમાન છે, બૌદ્ધિક છે, જગતની બૌદ્ધિકતા ખત્મ થઈ જાય એ સારું નહીં, પરંતુ બૌદ્ધિકતાનું અભિમાન ખતમ થવું જોઈએ, અથવા તો અભિમાનનું બલિદાન આપી દેવું જોઈએ. આપણે વિચાર કરીએ એ જરૂરી છે, પરંતુ આપણે જ આવું ઉંચુ વિચારી શકીએ છીએ, એ અભિમાન છે! તથાકથિત ધર્મોએ વિચાર કરતા બંધ કરી દીધાં, જે શબ્દ લખ્યા હોય એની બહાર જઈ શકાય નહીં! એવું થોડું હોય! જ્યારે સનાતન ધર્મની એ વિશાળતા છે કે, આપણે એના વિશે વિચારી શકીએ છીએ, અને આપણો અભિપ્રાય પણ આપી શકીએ છીએ. એટલા માટે સંતોએ કહ્યું કે દક્ષનું મસ્તક કાપ્યા પછી એને પશુનું મસ્ત કાપી દીધું! એક તો વિચારનાં અભિમાનનું કે બૌદ્ધિકતાનું બલિદાન આપી દીધું! અને બીજું બકરાનું મસ્તક! એટલે બૌદ્ધિકતાનાં અહંકારને કારણે દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક મળ્યું. માનસની ચાર પીઠમાં કૈલાસની પીઠ વિશ્વાસની છે, અને પ્રયાગની યાજ્ઞવલ્ક્ય વાળી પીઠ વિચારની છે, એવું મને લાગે છે. નિલગીરી પર્વતની કાગ ભુશુંડિજી વાળી પીઠ વિવેકની, અને તુલસીદાસજીની‌ મનને બોધ કરનારી પીઠ વર્તનની છે. વિશ્વાસ વિચાર વિવેક અને વર્તન આ બધું ભોજન જેમ ઈનસન્ટ નથી થતું, ભજનને પાકતા વાર‌ લાગે છે! મને વિશ્વાસ છે! એવું કહી શકાય, લખી શકાય! પણ એમ ભરોસો થતો નથી, એકવાર વિશ્વાસ ભરોસાનાં સ્ટેજે પહોંચે, પછી ભરોસો જ ભજન છે! પછી આશ્રિતે કંઈ જ કરવાનું નથી. આપણાં સદગુરુ કે બુદ્ધપુરુષ જેવા વિશ્વમાં બીજા કોઈ હમસફર નથી, ઈશ્વર પણ નહીં, સદગુરુ નિરંતર પડછાયો બનીને આપણી સાથે ચાલે છે. મારા ગણીને ત્રિભુવન દાદાની વાત કરતાં કહ્યું કે એનું નિર્માણ મેં આ આંખોથી જોયું છે. હું મારા પિતાજી નાનાં ભાઈ ઈશ્વરકાકાની દુકાન પર બેઠો હતો, અને દાદાની તબિયત છેલ્લા ત્રણ ચાર દિવસથી નાદુરસ્ત હતી, અચાનક મારાથી મોટી બહેન દોડતી આવી અને કહ્યું દાદા બોલાવે છે. હું પહોંચ્યો, જે ત્રણ દિવસથી સાવ પથારી વર્ષ હતાં, એ બેસી ગયાં. અમારા સાધુઓમાં મૃત્યુ બાદ સમાધિ આપવામાં આવે છે, અને દાદા ખુદ બેસી ગયાં. જમણા હાથનો બેરખો સતત ચાલુ હતો! એમણે કેટલી સ્વસ્થતાથી સ્વીકારી લીધું! એને જ નિર્વાણ કહેવાય.

તલગાજરડા કબંધને કઈ રીતે જોવે છે, જે વિચાર આપણી જીવનયાત્રામાં બાધા બને એવા વિચારને કબંધ કહે છે. કબંધ વિશાળ ભુજાઓનું પ્રતીક છે, હું આ પણ કરી શકું છું, હું આ પણ કરી શકું છું, અને હું ત્યાં પણ પહોંચી શકું છું, આ ‘હું’ જ વિશાળ ભુજાઓ છે, અને એ આપણને ઘેરી રહી છે, કબંધની જોજન લાંબી ફેલાતી ભૂજાઓ ખુદને જોવા દેતી નથી. આપણે કબંધની બાહોમાં નથી આવવું, કોઈ ગુરુ શિષ્ય નો સંબંધમાં જવું છે. માણસ સ્થિતપ્રજ્ઞ તો થઈ શકે, પણ દરેક સ્થિતપ્રજ્ઞ સંત ન્હોય એવું બને. સ્થિત પ્રજ્ઞને દુઃખ સુખ નથી હોતું, મોહ માયા નથી હોતા, પરંતુ જીવની સ્થિતપ્રજ્ઞતા બહું લાંબુ ચાલે નહીં! જ્યારે સાધુ કે સંત સ્થિતપ્રજ્ઞ હોય શકે. ભગવાન રામને ઉત્તર કાંડમાં જ્યારે સંતના લક્ષણો પૂછવામાં આવ્યાં, ત્યારે રામ કહે છે સાધુ એ છે જે બીજાનાં દુખે દુઃખી થાય, અને બીજાનાં સુખે સુખી થાય. સાધુ સ્થિતપ્રજ્ઞ કરતા ઘણાં બધાં આગળ છે, વિચાર ના રૂપમાં, વૃત્તિનાં રૂપમાં આપણે કબંધનું દર્શન કર્યું. કબંધે પોતાનાં શ્રાપની વાત કહી, એને ઘણા શ્રાપ લાગ્યા હતાં, પરંતુ હરી ચરણારવિંદના દર્શન થતાં તુરંત મુક્ત થઈ ગયો. પાપ કરવામાં વાર લાગે, પરંતુ મુક્ત થવામાં એક ક્ષણ લાગે. પાપ કરવામાં શ્રમ છે, પણ કોઈની કૃપા કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પાપ માંથી મુક્તિ ક્ષણમાં થઈ જાય છે. ચરણારવિંદના દર્શન પછી કબંધ કહે છે, પ્રભુ હવે હું આપની સાથે જોડાઈ ગયો, પ્રભુ કહે છે બ્રહ્મકુળનાં દ્રોહી મને પસંદ નથી. અહીં બ્રહ્મકુળ એટલે બ્રાહ્મણ નથી, ભગવાન રામના વચનને સમજવા માટે, ભારતના આંસુ જોઈએ, લક્ષ્મણની જાગૃતિ જોઈએ, શત્રુઘ્નાનું મૌન જોઈએ! ક્યારેય ભગવાન રામની શબ્દાવલી સમજાશે! કથાનાં ક્રમમાં ભગવાન રામ જાનકી સાથે લગ્ન કરી અયોધ્યા આવ્યાં, અને અયોધ્યાની સુખ સમૃદ્ધિ વધવા લાગી, ત્યાં સુધીની કથા કઈ આઠમાં દિવસની કથાને વિરામ આપ્યો.

સંકલન ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here